________________
કરવી.” એમ વિચારી.ગચ્છનાયકે સમસ્ત-સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધસંઘના નામે એક ખુલ્લો પત્ર લખ્યું. હેની અંદર પ્રારંભમાં હીરવિજયસૂરિને નમસ્કાર કરીને લખ્યું કે
લબ્ધિસાગરને શિષ્યનેમિસાગર વાચક પદ લઈને અયોગ્ય થયે છે, હેનાથી ગચ્છને સંબંધ છૂટી ગયું છે. માટે કેઈએ હેની સાથે મળવું નહિં..અને આવી જ રીતે ભક્તિસાગર પણ તેની સાથે મળી ગયેલ હોવાથી હેનાથી પણ ગચ્છને સંબંધ છૂટ્યો છે. માટે હેની (ભક્તિસાગરની) સાથે પણ કેઈએ મળવું નહિં. આ સમાચાર બીજાને પણ જણાવો. હે પાંચ બેલના મિચ્છાદુક્કડ દેવરાવ્યા હતા, હેને પણ ઉત્થાપ્યા છે અને વિપરીત બેલે છે, માટે સં. ૧૬૭૧ ની શુકલ અષ્ટમીએ આ શિક્ષા કરવામાં આવી છે.”
આ પત્ર ગચ્છનાયક તરફથી અમદાવાદમાં, કે જ્યહાં સાત નગરેના સંઘે એકઠા થયા હતા, તેઓની સમક્ષ વાંચવામાં આવ્યું.
એ પ્રમાણે સાગરને બહાર કરી દેવામાં આવ્યા. લેકેનું હેમની સાથે મળવું અને આલાપ સંલાપ પણ બંધ થયે. છતાં વિયદેવસૂરિ, બહાર જઈ જઈને તેઓને મળતા, માન આપતા અને છાની છાની વાતો પણ કરતા. બીજા આચાર્ય સ્થાપવાનું સૂત્રપાત,
એ પછી વિજયસેનસૂરિ અમદાવાદથી અસાઉલે (અસારવે ) આવ્યા, અને વિજયદેવસૂરિ રાધનપુર જવા નિમિત્તે રાજપુર આવ્યા. તેઓ સાગરેને પ્રેમથી મળતા અને વાત પણ કરતા.
આ વાત મ્હારે ગચ્છનાયકના જાણવામાં બરાબર રીતે આવી ગઈ, હારે હેમણે વિચાર્યું કે એક વખત તેને જણાવવુ જોઈએ.તેથી વિજયદેવસૂરિને પોતાની પાસે બોલાવ્યા. વિજયદેવસૂરિ, રાજપુરમાં એક રાત રહીને પ્રાતઃકાલમાં ગુરૂને વંદણ નથી કરવી?
[ ૪૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org