________________
એમ મનમાં ધારી નદી ઉતરીને ઉસમાપુરમાં આવ્યા. અને ગુરૂની પાસે આવ્યા છતાં વંદણ ન જ કરી.
વિજયસેનસૂરિએ સેમવિજય ઉપાધ્યાયને કહ્યું કે-“આ હવે બિલકુલ વાંકે થયે છે અને આનાથી હવે ગચ્છનો ઉદ્ધાર થાય તેમ નથી. માટે જે હમારી સલાહ હોય તે આપણે બીજાને આચાર્ય સ્થાપીએ. અર્થાત્ હેમે કહે, હેને આચાર્યપદ આપીએ.”
સેમવિજયવાચકે કહ્યું -“ પૂજ્યજી મહારાજ! આ કામ ઉતાવળનું નથી. હમણાં તેનો બાલસ્વભાવ છે. હેમાં વળી તે આ પનો ચેલો છે. આપના માટે તે નિશ્ચિત છે અને બીજાથી પોતાને નાશ થાય છે, તે જાણતા નથી. અત્યારે બોલથી બંધાઈને પોતાની લાજને એવે છે. પરંતુ હારે તે ચિંતામાં પડશે, ત્યારે તેજ, તેઓની સાથે અથડી પડશે, એટલું જ નહિં પરંતુ સાવધાન થયા પછી, તેઓને શિખામણ પણ આપશે.”
ગચ્છનાયકે કહ્યું: “ હમે જાણવા છતાં કેમ ભૂલો છે? થાંભલા વિના ટેભા મારવાથી તે કંઈ ઘર ઉભું રહી શકે ? માટે આવાઓથી કંઈ ગચ્છનો નિર્વાહ થઈ શકે તેમ નથી. વળી તે હારાથી છૂટી, બીજાઓને મળે. છતાં હેનું મન વળ્યું નહિં. તો પછી હવે હુને વિશ્વાસ શા માટે કરે?” એમ અનેક દષ્ટાન્ત પૂર્વક ગચ્છનાયકે, બીજે આચાર્ય સ્થાપન કરવા માટે પિતાને દઢ નિશ્ચય જણાવ્યું.
હારે શ્રી વિજય વાચકે છેવટે એજ વિચાર જણાવ્યું કે-માસુ ઉતર્યા સુધીમાં અગર તે ન માને, તે પછી આપણે તે જ પ્રમાણે કરવું.”
હવે એક તરફ વિજયદેવસૂરિએ અત્યન્ત રીસથી ઉસમાપુરથી વિહાર કર્યો. તેઓ રાધનપુર નજતાં વીસલનગર જઈ સાસુ રહ્યા. સાગર સરહમાં આવી રહ્યા. અહિં કમલને (કમલધીરને હેમણે કહ્યું – ન્હમારા ગુરૂ, જહાં સુધી જીવશે, ત્યહાં સુધી અમને દુઃખી
[ ૪૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org