SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યા કરશે. માટે કંઈક એવો ઉપાય કરે કે–આ બધે સંતાપ મટી જાય.” હેમણે કહ્યું:–“સૈ સારાં વાનાં થશે, પરંતુ આ સમયે કંઈ થઈ શકે તેમ નથી.” બીજી તરફ ગચ્છનાયક ખંભાત તરફ વિહાર કરવા લાગ્યા. પરન્તુ સંઘે વિનતિ કરી કહ્યું કે “આપ એક દિવસ વધારે બિરાજે. અને સાગરનાં વચનોની જહે ભ્રાંતિ અમારા લોકમાં થઈ ગઈ છે, તે દૂર કરી, અમ્હારી બુદ્ધિએનિમલ કરે.” સંઘની વિનતિને સ્વીકાર કરીને ગચ્છનાયકે હાં લગાર સ્થિરતા કરી. સાગરની રામકહાણ. ગચ્છનાયક શ્રીવિજયસેનસૂરિએ અઢી હજાર માણસોની સભામાં સાગરની આ પ્રમાણે રામકહાણી કહી સંભળાવી: “હે સાગરને વિશ્વાસથી શિષ્ય કર્યો. તે પછી તે કુવાસનાથી માહિત થયે. અને મ્હારાથી ઝઘડે કરવા લાગ્યા. વળી અલ્પજ્ઞાન હોવાથી, જો કે સ્થવિરે વારતા હતા, તોપણ મહેં હેને પદ આપ્યું, તે પછી તે હારી હામે કેમ ન થાય? હીરો પાણીની અંદર રહે છે, અને તૃણુ તરી આવે છે. માટેજ જ્ઞાનીને હીરા સમાન ગણેલ છે કે જહે વિવેક પૂર્વક ગુરૂની સેવા કરે છે. ભળ્યો ! હીરવિજયસૂરિએ શિખામણ આપી હતી, કે હમે સાગરનો સંગ કરશે નહિં, છતાં તે વચનેને વિસારી મૂકી સાગરને સંગ કર્યો તે આ પ્રસંગ પ્રાપ્ત થયે, માટે હજૂ પણ જે હમે ગુરૂભક્ત હો, તે હીરવિજયસૂરિઝનાં તે વચનને યાદ કરો સ્મરણમાં રાખો કે જહે સાગરેને સંગ કરશે, તે અવશ્ય બગડયા વિના રહેશે નહિં. વળી આચાર્ય ( વિજયદેવસૂરિ)ને માટે મેં ધાર્યું હતું કેતે હારે છે, તે બીજાને કેમ થશે ? છતાં હંસ પણ કાગને મળવાથી કાગ કહેવા. અહો ! જ્યહાં અમૃતફળની આશા રાખીને વિષવેલડી ઉછેરી છે, [ ૪૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy