________________
ઘજી, હાંસજી. ત્રાપુજી, વીરદાસ, બ્રહ્મચારી જીવા અને મેઘા (એ બે ભાઈ) વીરજી, વીરજી, ભીમા, ઠાકર લાલજી, ઠાકર સિંભુજી, ઉદયકરણ, કલ્યાણદાસ અને સેની જૂ વિગેરે સાગર પાસે ગયા. હેમણે પણ ઘણી ઘણી રીતે સમઝાવ્યા, પરંતુ માન્યું નહિં અને મનમાં આવ્યું તેમ બોલવા લાગ્યા. સંઘ ગુરૂ પાસે પાછા આવ્યા. સંઘે કહ્યું કે-તે કઈ રીતે માનતા નથી, માટે સખશિક્ષા કરે.” ગચ્છનાયકે કહ્યું:–“શિક્ષા કર્યા પછી હમે હેના પક્ષમાં તે નહિં થઈ જાઓ ને?” સંઘે કહ્યું -“મહારાજ ! આ શું કહે છે? આપની આજ્ઞા વિના તે ભટક્તા ફરશે, અને એને કેઈ સંગ્રહશે પણ નહિં, એટલું જ નહિ પરતુ કે નમસ્કાર પણ નહિં કરે. એ નિશ્ચય જાણશે.”
ગચ્છનાયકે વિચાર્યું કે-“હવે ઉપાય શું કરે? ખેર, હવે એકાન્તમાં કહેવરાવવું જોઈએ. એ પ્રમાણે વિચાર કરી ઠાકર લાલજી, કે જહે સંઘમાં પ્રધાન હતા, હેને બોલાવ્યો અને કહ્યું કે-“લાલજી! તું હારે ભક્ત છે. ગુરૂનું વચન આરાધવાને શક્તિમાન છે, અને સાધુના સંયમમાર્ગને જાણવાવાળે છે, એટલા માટે તું હેની પાસે જા, અને સમઝાવ. ખાનગીમાં ને કહેવું કે આવી મતિ કેમ થઈ ગઈ? હું ન્હને પા , હારી લાજ વધારી, અને છેવટે વાચકપદ લઈને હું આવી ખુવારી કરી? હજૂ પણ કંઈ બગડી ગયું નથી. વળી પછીથી હૂમે કહેશે કે પ્રેમ રાખે નહિં, તે ઠીક નહિં, મહારાથી બધું સહન થઈ શકે, પરન્તુહીરવચનનું ઉત્થાપન સહન થાય નહિં”
તે પછી લાલજી નેમિસાગર પાસે ગયે. અને વંદણું કરીને પાસે બેઠે.પછી નેમિસાગરે કહ્યું: “કહે, ગુરૂનું પડખું મૂકીને વગર બોલાવે અહિં કેમ આવ્યા?”
લાલજીએ કહ્યું: “કંઈક આપને વિનતિ કરવાની છે. અગર માને તો બહુ આનંદની વાત છે.”
[ ૪૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org