________________
પંડિતેએ એક પહેર સુધી તેઓને સમજાવ્યા, પરંતુ લગારે માન્યું નહિં. પંડિતાએ ગુરૂની પાસે આવીને તે હકીકત જણાવી. પછી વગવસીલાવાળા મુનિએને કહ્યું કે-“હમે હેમને સમજાવે કે, પાછળથી હૂમે અભ્યારે વાંક કાઢશો. માટે હજુ પણ હસ્તાક્ષર કરવા સારા છે.”
મુનિઓએ શાંતિથી પણ ઘણું સમજાવ્યું, છતાં માન્યું નહિં. છેવટે ગચ્છનાયકે સંઘને કહ્યું કે હમે જઈને સમજાવે.
ગુરૂની આજ્ઞાથી સંઘના આગેવાને–દેસી પનીયા, સાહસિંઘજી, કુંપા, સાહ સૂરા, પારેખ જેઠે, ભીમજી, શાહ ખેતા, સેની વિદ્યાધર, રામજી, શાહ કૂકા, જીવા, શાહ નાના, સમજી, બદુઆ, અને વાઘજી શાહ વિગેરે ઘણુ માણસે સાગરે પાસે ગયા, તેઓ વિનયપૂર્વક વંદણા કરીને કહેવા લાગ્યા કે –
વિજયસેનસૂરિ, એ શ્રીહીરવિજયસૂરિની પાટે છે. માટે તેઓનાં વચને હમારે માનવાં જોઈએ. હેમને શા માટે દૂહ છો? જૂઓ, ઠાણાંગસૂત્રવૃત્તિમાં ત્રણ પ્રકારે અવિનયમિથ્યાત્વ બતાવેલ છે, ૧ દેશયાગ અવિનય મિથ્યાત્વ, ૨ નિરાલંબતા અવિનય મિથ્યાત્વ અને ૩ પ્રેમ અથવા ઠેષથી ઉત્પન્ન થતે અવિનયમિથ્યાત્વ. આ ત્રણે પ્રકારનાં મિથ્યાત્વ જે આપ ત્યાગ કરે, તે અમે આપને માનીએ. જૂએ, ગુરૂનું વચન લેપતાં આપને આ ત્રણે મિથ્યાત્વ લાગે છે. ગુરૂને ગાળ દીધી, એ પહેલું. ગચ્છ-સમુદાયના આલંબનને ઘાત કર્યો, તે બીજું અને નાના પ્રકારના પ્રેમ અને દ્વેષથી આરાધ્ય ને વિરાધ્ય અને વિરાધ્યને આરાધ્ય માળે, એ ત્રીજુ. વળી આપ શાસ્ત્રના ભણેલા છે, છતાં આપની મતિ જાગ્રત થતી નથી એ ખેદને વિષય છે.”
સંઘનાં ઉપર્યુક્ત વચને સાંભળ્યા પછી ભક્તિસાગરે કહ્યું:મિથ્યાત્વ તે લાગે ખરૂં, અને મત્પણ કરું, પરંતુ તે હારા ગુરૂ કહાં છે? અમ્હારા ગુરૂ તે ધર્મસાગર છે.”
[ ૪૨ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org