________________
કહ્યું કે- આને માટે શું કરવું ? કહો તે તેઓથી અલગ થઈ જાઉં, અને કહે તે આ ગ્રંથને પાણીમાં બળવા દઉં.”
વિજ્યદેવસૂરિએ હિમ્મત આપીને કહ્યું કે–“હમારે લગારે ચિંતા ન કરવી. હું હમારા પક્ષમાં થઈ જઈશ. ગુરૂને (ગચ્છનાયકને) ઘડપણ આવ્યું છે. બહુ તો તેઓ એક બે વરસ જીવશે. પછીથી હમારી પ્રરૂપણાને આપણે ફેલાવીશું.”
આ પ્રમાણે વિચાર કરીને બને છુટા પડ્યા. અને સાગર પક્ષના અઢારે ઠાણું એક વિચારવાળાં થઈ ગયાં.
એક વખત ગચ્છનાયક વ્યાખ્યાન વાંચતા હતા, ત્યહાં નેમિસાગર, પેલો ગ્રંથ લઈને ગયા. અને કહેવા લાગ્યા કે-“આ ગ્રંથ અડ્ડારા ગુરૂએ કરેલ છે. અગર આપની આજ્ઞા હેય, તે તે વંચાય અને પ્રસિદ્ધ થાય.”
ગચ્છનાયકે કહ્યું “તે ગ્રંથ છેટે છે. પ્રસિદ્ધ કરવાને લાયક નથી. એની અંદર ગુરૂને ગાળો અને શાસ્ત્રવિરૂદ્ધ લખાણ છે. તે પછી તે કેવી રીતે વાંચી શકાય?” - નેમિસાગરે કહ્યું -“આ ગ્રંથ એકાંત સાચે છે. હેને ખોટે કરનાર કેણ છે ? આમાંથી કેઈ પણ માણસ કંઈ પણ પુછે તે હું જવાબ દેવાને તૈયાર છું. મહારાજ ? આપ અગર દેસવટે આપશે, તે મ્હાં રે ને એટે (ખાવાનું અને સ્થાન) મળશે, હાં રહીશું. અને અમારું કામ કરીશું.”
એમ કહીને ઉઠી ગયા. વિજયદેવસૂરિએ સાગરને હાથ પકડી અલગ બેસાડ્યા. બીજી તરફ શ્રાવક શ્રાવિકાઓમાં હેહા મચી ગઈ. એક ઉઠીને સાગરના જ પક્ષમાં બોલવા લાગ્યું, એટલે ગરછ. નાયક અવસર જોઈને ત્યહાંથી ઉઠી ગયા. નેમિસાગર બોલવા લાગ્યા કે-ગમે તેમ બલ કરીને રાજદરબારમાં પણ અમે આ ગ્રંથને
[ ૩૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org