________________
વિચારવા લાગ્યા. પત્ર વંચાઈ રહ્યા પછી દરેક આપસમાં વિચાર કરવા લાગ્યા કે-આના બદલામાં હેને શું દંડ કરે”?, તેજ વખતે વિજયદેવસૂરિ બોલી ઉઠ્યા કે–“હેને દસ આંબિલ આપવાં.”
હારે ગચ્છનાયકે કહ્યું કે–એને વળી આંબિલ કેવાં? ગુરૂને ગાળે દે, ગ૭માં ભેદ કરે, અને બધા વાચકોની પણ નિંદા કરે, એને તે વળી આંબિલ હેય? જે આચાર્ય વિજયદેવસૂરિ સમ્મત થાય તે ઠીક છે, નહિં તે પછી હેમના મન વિના પણ ગ૭ બાહર કર જોઈએ.’
તમામ સાધુઓ બોલી ઉઠ્યા કે-એ વાત પ્રમાણ છે હવે વિલંબ કરવો જોઈએ નહિ.”
છેવટે શનિવારના દિવસે હેને ગચ્છથી બહાર જ કરવામાં આવ્યો. અને તે પછી ચતુર્વિધ સંઘમાં જાહેર કર્યો. આ તે શાસ્ત્ર કે શસ્ત્ર?
એક દિવસ શ્રીવિજયસેનસૂરિ મુનિમંડલને એકઠું કરીને કહેવા લાગ્યા કે, “આ એક નવો ગ્રંથ છે, જહેમાં આચાર્યો અને શાસ્ત્રોની નિંદા કરી છે. માટે આ ગ્રંથને પાણીમાં બોળવાને હું પૂછું છું. અગર કહેતા હો, તે ચતુર્વિધ સંઘની સાક્ષીએ તેમ કરીએ.”
આ સાંભળીને નેમિસાગરે કહ્યું –લાઓ તે ખરા, હું તે ગ્રંથ વાંચી તે જોઉં.”
ગચ્છનાયકે કહ્યું –સેમવિજ્ય વાચક પાસે તે ગ્રંથ છે.” સોમવિજયવાચક પાસે માગતાં હેમણે તે ગ્રંથનાં છત્રીસ પાનાં આપ્યાં. નેમિસાગરે જે કે પૂરો ગ્રંથ માગે, પરંતુ હેમણે આપે નહિં. ખેર, છત્રીસ પાનાં લઈને પોતાને સ્થાને ગયા, અને તે વાંચી જોયાં. માલુમ પડ્યું કે–આ ગ્રંથ શ્રીધર્મસાગરને છે. પરંતુ હે. મના મનમાં વાત એ આવીને ઉભી રહી કે–“હવે જે હું હા ભણું છું, તે ગ્રંથ પાણીમાં બેળાશે. અને હારા ગુરૂનાં વચનો વિચ્છેદ જશે” આ વિચારમાં ઘોળાતાં તેઓ વિજયદેવસૂરિ પાસે ગયા. અને
[ ૩૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org