________________
હેને હું મિચ્છાદુક્કડ દઉં છું. તે પાપીઓ જૂઠા છે, એમાં લગારે શક જેવું નથી. હેમણે ધર્મને ઘણી હાની પહોંચાડી છે. મહે હેમનું આવું કપટ જાણ્યું હતું. હેના આ ગ્રંથને પાણીમાં બળી ઘો, અને જહે વાંચે હેને પણ સંઘાડા બહાર કરી દે.”
આ વખતે વિજયદેવસૂરિએ સાગરને પક્ષ લઈને કહ્યું કે – સાગરે વિખ્યાત છે, માટે જે કંઈ કરવું તે તેઓને પૂછીને જ કરવું સારૂં છે.”
ગચ્છનાયકે કહ્યું –-અરે, જેઓએ આપણું ગુરૂને ભાંડ્યા છે, તેઓને શું પૂછવું?”
છતાં વિજયદેવસૂરિએ પિતાને આગ્રહ છેડ્યો નહિં. એટલે તે ગ્રંથ પાણીમાં ભેળવે રહેવા દીધું. અને હાલારથી સાગરેને બોલાવ્યા. ગચ્છનાયકે અહમ્મદપુરમાં ચોમાસુ કર્યું. અને પછી અને મદાવાદમાં આવીને મૂલા શેઠના ઉપાશ્રયે માસકલ્પ રહ્યા. આ વખતે મેઘવિજય ઉપાધ્યાય, અને બીજા ઘણા સાધુઓ આવ્યા. આ સાધુ સમુદાયમાં કેટલાક ભણતાને ભણાવતા હતા, કેટલાક નવાં નવાં કાવ્યા કરતા હતા, કેટલાક એકાન્તમાં ધ્યાન કરતા હતા, કેટલાક આતાપના લઈ ઉપસર્ગ સહન કરતા હતા, કેટલાક ચિંતામણિ જેવા અનુમાનના ગ્રંથોને ભણતા હતા, તો કેટલાક વાદના ગ્રંથો અને વલોકતા હતા, કેટલાક ધર્મકથા કરતા તો કેટલાક સિદ્ધાતેની આવૃત્તિ કરતા. અને કેટલાક કાજ વિગેરેની જયણા કરવામાં તત્પર ૨હતા તે કેટલાક વૈયાવચ્ચ કરતા. એમ અનેક સાધુવરે સંયમની આરાધના કરતા હતા. દેવસાગરને કપટી પત્ર.
આ વખતે સૂરાશાહની સાથે નેમિસાગર વાચક આવ્યા. તેઓએ આવીને ગચ્છનાયકને વંદણ કરી, પછી હેમને ઉતરવાનું
[ ૩૫ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org