________________
વાળા છીએ, માટે આ વખતે અહારી લાજ રાખે. આપ ગચ્છનાયકને કહે, કે તેઓ દર્શનવિજયને શિખામણ આપે”
વિજ્યદેવસૂરિ ગચ્છનાયક પાસે આવ્યા, અને એકાંતમાં કહેવા લાગ્યા કે –“નેમિસાગર એક મોટા પુરૂષ છે. આ વાતથી તેઓ દિલગીર થયા છે, માટે જે તેને આપ દિલાસે આપે, તે હેમના મનમાં ધીરતા રહેશે. આને માટે ઉપાય એજ છે કે-આપ દર્શનવિજયને શિખામણ આપો.”
ગચ્છનાયકજીએ કહ્યું – “હેને વાંક શું છે, કે હું હેને શિખામણ-ઠપકો આપું. વાંક વિના મહારાથી કેમ કહી શકાય? અને ન્યાયની રીત જોતાં તે સાગરજ અન્યાય-ગુહે છે.”
પાછું વિજયદેવસૂરિએ કહ્યું-ખેર, તો હેને મિચ્છાદુક્કડ દેવરાવે.”
વિજયદેવસૂરિનું મન રાખવાની ખાતર ગચ્છનાયકે બધાને બોલાવ્યા અને દર્શનવિજયને સંબોધીને કહ્યું કે-“જે કે હમારે કાંઈપણ દોષ નથી, છતાં હારા ઉપદેશથી મિચ્છાદુક્કડ ઘો.”
દર્શનવિજયજીએ કહ્યું:–“જે કે આપનું કહેવું શિવાહ્ય છે, પરંતુ જહેને વાંક નિશ્ચય થાય, તે મિચ્છાદુક્કડ દે.”
ગચ્છનાયક બોલ્યા:-“વાંક શું બતાવું? ઊંટના શરીરમાં સીધું કયું અંગ દેખાય છે? આ વખતે ગચ્છનાયકે એક દષ્ટાન્ત આપ્યું કે–જહેમ છ સાત પિસ્તીઓ (અફીણના ડેડા પીવાવાળા) એકઠા થઈને આપસમાં વાત કરવા લાગ્યા. એકે કહ્યું -“પાણીમાં આગ લાગે, તે માછલી નાશીને કમ્હાં જાય?’
બીજાએ કહ્યું:–“નાશીને આકાશમાં જાય, અને પછી હારે આગ ઓલવાઈ જાય, ત્યહારે પાણી પાસે આવે.” વળી એકે કહ્યું - જમીન ઉપર આગ લાગે, ત્યહારે ભેંસ
[૩૧]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org