________________
હીરવિજયસૂરિને દેહત્સર્ગ
આ વખતે શ્રીહીરવિજયસૂરિ રાધનપુરમાં હતા, ત્યહાંથી હેમણે પાટણ તરફ વિહાર કર્યો. પાટણમાં ચોમાસુ કરી, તે પછી સૂરિજીએ પોતાનું અવસાન નજીક દેખ્યું. તેથી હેમણે વિમલા ચલની યાત્રા કરવાનો વિચાર કર્યો. અને આ વિચાર સંઘને પણ જણાવ્યું. સંઘ ખુશી થયે. સંઘ પણ સૂરિજીની સાથેજ યાત્રા કરવાને માટે તૈયાર થઈ ગયે. એટલું જ નહિ, પરંતુ સંઘે દેશદેશની અંદર નિમંત્રણપત્ર પણ લખ્યાં. આ વખતે આ સંઘમાં એકઠા થનારને બે પ્રકારના તીર્થની યાત્રાનો લાભ મળવાનો હતો. સ્થાવર (શત્રુંજયાદિ) અને જંગમ (સૂરિજી). આ હેટા સંઘની અંદર અમદાવાદનો સંઘ (કે જહેમાં હજાર રથ અને ઘણું તંબૂઓ હતા), ખંભાતને સંઘ. (કે જેમાં નવસે સેજવાલા, અને ઘણા તંબૂઓ વિગેરેની ધૂમધામ હતી.આ ધૂમધામને જોઈને હાઈકમ નવરંગખાન પણ ઘણે ખુશી થયે હતો, અને સાહ શ્રીમલને ઘણું માન આપ્યું હતું.), તથા પાટણ, કુણગેર, આગરા, લાહેર, મેડતા, સીરેહી, જાલેર, માલવ, મેવાડ, રામપુરા, વાગડ, દક્ષિણ, સૂરત, દીવબંદર, વટપદ્ર (વડેદરા), ભરૂચ, દમણ, વસહી, ગણદેવી, ચેઉલી, ડેલી, કેલીહરે, (ક) અને નવાનગર વિગેરેના સંઘે શામેલ થયા. આ સાથે હીરવિજયસૂરિની સાથે સં. ૧૬૪૯ ની સાલમાં શત્રુંજયની યાત્રા કરી. આ સંઘમાં કુલે બે લાખ માણસોની સંખ્યા થઈ હતી.
શત્રુંજયની યાત્રા કર્યા પછી ઉનાના સંઘની વિનતિથી સૂરિજી ઉના પધાયા, અને ચેમાસું ઉનામાંજ કર્યું. અહિં સાહ લખરાજે ઘણું દ્રવ્ય વ્યય કરીને સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. અને મુહૂર્ત ઉપર કવિ સુનિવિજય, કે જેઓ ઘણા ગુણવાન હતા, તેઓને બોલાવીને, સૂરિજીએ વાચક પદ પણ આપ્યું.
[ ૧૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org