SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેના ઉપર સાગરજી અને ખીજાઓનાં મતાં કરાવ્યાં. પછી દરેક પોતપોતાને સ્થાનકે ગયા. ક્લેશ મટી ગયે. અને શાંતિ થઇ. તે પણ છાનાં છપનાં સાગર ક્યાંય કયાંય તે પેાતાના મત જરૂર પ્રકાશતાજ રહ્યા. ‘ સ તશતક † ની ઉત્પત્તિ. > કહેવત છે કે- લીંબડે કેરી લાગતી નથી, કાંચવૃક્ષે કેળાં થતાં નથી, દૂધથી એનીયેા મીઠા થતા નથી, દૂધ પાવાથી પણ સર્પ નિવિષ થતા નથી. ઘણા દિવસ સુધી દૂધથી ધાવામાં આવે તેપણ કા ગડા ધેાળા થતા નથી અને દારડી મળી જવા છતાં તેના આંમળા મટતા નથી. હેવી રીતે ઘણી ઘણી વખત સમજાવ્યા અને મિચ્છાદુક્કડ દેવરાવ્યા છતાં ધર્મસાગરે પોતાના સ્વભાવ છેછે નહિં. સાગરના પક્ષી આવન જણુાઓને સ ંઘ બહાર કર્યો, છતાં સાગરે પેાતાનું અભિમાન છેડ્યું નહિ, અને પેાતાના મત સ્થાપવાને ‘ સર્વજ્ઞશતર્ક ’નામના એક અભિનવ ગ્રંથ બનાવ્યેા. આ ગ્રંથની અંદર સાગરજીએ પેાતાને વિપરીત પથ આલેખ્યા, વળી પાંચ ખેલ ઉત્થા પવાને છાના છાના પ્રયત્ના પણ કરવા લાગ્યા. આથી સાગરને ત્રણ ગામ-અમદાવાદ, પાટણુ, રાધનપુરમાં રહેવાનો નિષેધ કરવામાં આન્યા અને તેથી તેએ સૂરતમાં જઇને રહ્યા. બીજી તરફ શ્રીહીરવિજયસૂરિના પટાધર શ્રીવિજયસેનસૂરિએ અકબરબાદશાહની સભામાં વાદીઓના પરાજય કર્યો. ચામાસુ બાદશાહની પાસેજ રહ્યા, šાં શાસનની ઘણી પ્રભાવના થઇ. વળી ખાદશાહે શ્રીનદિવિજયની પાસે આઠવિધાના સધાવ્યાં. આ વિધાના જોઇ બાદશાહ અહુ ખુશી થયેા. અને શ્રીન‘વિજયને ‘ખુશહ’નું ટાઇટલ આપ્યું. બાદશાહે વિજયસેનસૂરિની સમ્મતિ મેળવીને નદિવિજયને પોતાને ત્યાં રાખ્યા. ઝ્હારે વિજયસેનસૂરિ ğાંથી વિહાર કરતા કરતા મહિમનગરમાં આવ્યા અને સંઘની વિનંતિથી જ્હાં ચામાસુ રહ્યા. [ ૧૭ ] 3 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy