________________
૨ પ્રતિમા સંબંધી જેમ પરંપરા ચાલી આવે છે, તેમ ચાલવું.
આમાં શ્રીહીરવિજયસૂરિ, સકલચંદ્રવાચક, ધમસાગરવાચક, પંન્યાસ વિજયહંસ, રૂપરષિ, કુશલહર્ષ, શ્રીકરણ, વાનરષિ, સૂરચંદપંન્યાસ અને ત્રાષિહાપા એ બધાઓનાં મતાં કરાવ્યાં.
ખાસ કરીને શ્રીહીરવિજયસૂરિ, સકલચંદ્રવાચક, ધર્મસાગર અને વાનરઋષિ એ ચારે જણે ઉપરની જ હકીક્તને એક પત્ર લખીને અમદાવાદના ગલરાજ ઉપર મેકલ્યું. અને તે પ્રમાણે માનવા જણાવ્યું. - બીજી તરફ ધર્મસાગરજીએ, ચતુર્વિધ સંઘના નામથી એક લેખ લખી આપે, તેમાં એ લખ્યું કે –
“હે હે નવા પાંચ નિહુનની પ્રરૂપણ કરી છે, તેને મિચ્છામિ દુક્કડ દઉં છું. કુમતિમુદ્દાલ નામના ગ્રંથના પંથને હું છોડું છું. પહેલાં તેની જે સહણ કરેલી, તેને મિચ્છામિ દુક્કડ દઉં છું. ષ પવી, ચતુઃપવી જે હું ન્હોતે સદ્દહતો, તે પણ હું ગુરૂના કહેવા પ્રમાણે સહું છું. સાત બોલને પણ હું હવે હૃદયથી સદ્દઉં છું. ચતુર્વિધ સંઘની જહે હે આશાતના કરી, તેને મિચ્છામિદુક્કડ દઉં. છું. વળી પાંચ ગ૭વાળાઓનાં ચૈત્યને હું ઉત્થાપતે હેને ન ઉત્થાપતાં હવે હું પાચેનાં ચૈત્યને ખામણપૂર્વક વાંદું છું.”
એ પ્રમાણે તકરવાડામાં શ્રીવિજયદાનસૂરિ સમક્ષ સકલ સંઘની સાખે મિચ્છાદુક્કડ દીધા.
આ પછી સંવત્ ૧૬૧૯ ના માગશર સુદિ ૧ ના દિવસે શ્રીવિજયદાનસૂરિએ બીજું એક આજ્ઞાપત્ર બહાર પાડ્યું. હેની અંદર એ લખવામાં આવ્યુ કે –
પરંપરાગત ગછમાં હે સમાચારી ચાલતી હોય, તેથી આઘીપાછી કે વિપરીત કેઇએ ન કરવી. વળી
( [ ૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org