________________
કરે છે? જે પ્રમાણે ગચ્છનાયક કહેતા હોય, તે પ્રમાણે કરવું જોઈએ. અમદાવાદથી અન્યત્ર જશે, તે અન્ન-પાણ પણ પામશે નહિં. તે માટે ગુરૂનું કહેવું માને, અને હૃદયમાં ધારણ કરે.” ધર્મસાગરજીએ કહ્યું: “હવે હું ત્યહાં જઈ પણ કેવી રીતે શકું? અને હવે તેઓ રાખે પણ કેમ ? અને જે હમે આ વાત હાથમાં લેતા હો, તે ચાલે હું તૈયાર છું.”
સકલચંદ્ર ઉપાધ્યાયે તે વાત સ્વીકારી, અને સાગરજીને લઈ રાધનપુર ગયા. શ્રીધર્મસાગર ઉપાધ્યાયને બહાર રાખી સૂરિજીને સમાચાર આપ્યા. સૂરિજીએ સ્પષ્ટ કહ્યું કે-હારે હેનું કામ નથી.”
સકલચંદ્રવાચકે કહ્યું-“મહારાજ ! આરૂ કરૂ થાય, પરંતુ માબાપ તે સહન જ કરતાં આવે છે. હવેથી આપ જે પ્રમાણે આદેશ કરશે, તે પ્રમાણે તે વરતાવ કરશે. માટે આપ હેને ગચ્છમાં લઈ લે. હવે પછી જે તે આજ્ઞા વિરૂદ્ધ કામ કરે, તે તેને વધારે શિક્ષા કરવી.” ' સૂરિજીએ કહ્યું –“જે હેની ગચ્છમાં આવવાની ઇચ્છા હોય તે “પૂર્વસૂરિનું વચન હું સદ્દહુ છું” એ પ્રમાણે-હું કહું તેમ લખી આપે.”
ધર્મસાગર ઉપાધ્યાયજીએ તે વાત સ્વીકારી. હેમણે ગુરૂએ કહ્યા પ્રમાણે પટે લખી આપે. અને તે જ પ્રમાણે મનમાં સહણ કરી. સાગરજીએ જે જે વાતના મિચ્છામિકડ દીધા, તે તે બધા બેલ લખાવી લીધા. જે પટે લખવામાં આવ્યું, હેની અંદર અનેક મતાં અને સાક્ષીઓ પણ થઈ. આ પટે વિજયદાનસૂરિએ સં. ૧૬૧૭ની સંવત્સરીની મિતિએ રાધનપુરમાં બહાર પાડ્યું. આની અંદર મુખ્ય બે વાતે લખી –
૧ સાતથી અધિક નિહુનવ છે, એમ કહેનાર ગ૭ને ઠપકો પામશે,
[ 9 ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org