________________
અને સાગરેએ મતાં નહિં કરવાથી સાગરને અલગ કર્યા, ત્યહારે શાતિદાસ શેઠ હેમનાથી વિરૂદ્ધ પડ્યા એમ જણાવ્યું છે. આ હકીકત બનવા જોગ છે. કારણ કે–શાતિદાસ શેઠ ખુલી રીતે સાગરના પક્ષમાં હતા અને હારે તેજ સાગરને અલગ કરવાને પ્રસંગ આવે, ત્યારે તેઓ વિજયદેવસૂરિ સાથે ન જોડાય એમાં કંઇ નવાઈ જેવું નથી. જે કે-એટલું તો કહેવું જ પડશે કે શાન્તિદાસ શેઠ જેવા, તે વખતના મહાન પ્રભાવશાલી>સત્તાધારી પુરૂષે કોઈના પણું પક્ષમાં ન પડતાં બન્ને પક્ષને એકત્ર કરાવવામાં પિતાની શકિતને સદુપયોગ કર્યો હત, તો તે વધારે આશીર્વાદરૂપ થઈ પડતે, એમ મહારું માનવું છે. શારિતદાસ શેઠે તો વિજયદેવસૂરિથી વિરૂદ્ધ પડવા પૂરતોજ સતિષ હેત માન્ય; પરન્તુ હેમણે તે મુકિતસાગરને સં. ૧૬૮૬ માં આચાર્યપદ અપાવી હેમનું રાજસાગરસૂરિ નામ આપી ખાસ “સાગરમત” નીજ સ્થાપના કરી અને સ્વતંત્ર સાગરમ ચલાવ્યું. અસ્તુ, આ સંબંધી વિશેષ વિવેચનમાં ઉતરવું અપ્રસ્તુતજ છે.
આગળ જતાં કવિ દર્શનવિજયજી બે આચાર્યો-વિજયદેવસૂરિ અને વિજયાનંદસૂરિ–ની એકતા થયાનું હે જણાવે છે, તે હકીક્ત પણ અચુક ધ્યાન ખેંચનારી છે. વિજયાનંદસૂરિના કેટલાક પ્રસંગે ઉપરથી જોઈ શકાય છે કે તેઓ ઘણુજ સરળ પ્રકૃતિના, શાતિપ્રિય અને શાસનની દાઝ ધરાવનારા હેવા જોઈએ અને તેથી જ હેમણે વિજયદેવસૂરિની સાથે સંધિ કરવામાં નમતુ મૂક્યું હશે. આ બન્ને આચાર્યોની એકતાના સંબંધમાં વીરવંશાવલી અથવા તપાવાવ, કે જે “જૈન સાહિત્ય સંશોધક” ના ત્રીજા અંકમાં પ્રકટ થઈ છે, તેમાં વિજયાનંદસૂરિના વૃત્તાન્તમાં લખ્યું છે કે –
વિ. સં. ૧૬૮૨ વર્ષે શ્રી શાંતીલપુર નગરે શ્રી સંધાગ્રહી વિજયદેવસૂરી ને શ્રીવિજયાનંદસૂરીને ગછ મેલ હુએ.”
આ ઉપરથી એ જણાય છે કે આ એકતા સં. ૧૬૮૨ માં સાંતિલપુરમાં થઈ હતી. આ એકતા થતાં પરસ્પર જે શરત કરવામાં આવી હતી, તે રાસકારના કથન પ્રમાણે આ છે –
હીરવિજયસુરિ અને વિજયસેનસૂરિએ કરેલા પટા મંજૂર રાખવા. એક બીજાની સાથે રાગ-દ્વેષ ન રાખો. મર્યાદા પ્રમાણે વંદન-વ્યવહાર ચાલુ રાખવો અને જહેતે હે પવિયો હોય, તે પણ જહેમની તેમ કાયમ રાખવી.”
(જૂઓ, રાસસાર પૃ. ૮૪-૮૫)
૨૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org