________________
પરિશિષ્ટ તરીકે પૃ. ૩૯૦ માં પ્રકટ કરવામાં આવ્યું છે. આ પત્રમાં માંડવગઢમાં થયેલી મુલાકાતને બાદશાહે ખાસ હવાલે પણ આપે છે.
બાદશાહ સાથેની આ મુલાકાત પછી લગભગ બે વર્ષ સુધી આ મામલે શાન્તિથી ચાલ્યો હોય, એમ પ્રસ્તુત રાસ ઉપરથી જણાય છે; તેપણુ એટલું તો ખરું જ કે-બને પક્ષની એકતા તે ન્હોતીજ થવા પામી. બન્ને આચાર્યોએ-વિજયદેવસૂરિ અને વિજયતિલકસૂરિએ-ભિન્ન રહીને જ પોતપિતાના આાવતી સાધુઓ ઉપર હુકૂમત ચલાવી હતી. છેવટ-સં. ૧૬૭૬ના પાસ સુદિ ૧૩ના દિવસે વિજયતિલકસૂરિએ સેમવિજયજી વાચકના શિષ્ય કમળવિજયજીને આચાર્યપદ આપી પોતાની પાટે સ્થાપન કર્યા હતા અને બીજા જ દિવસે એટલે ચૌદશના દિવસે હેમણે કાળ કર્યો હતો. એ પ્રમાણે વિજયતિલકસૂરિ પછી વિજયપક્ષની આગેવાની વિજયાનંદસૂરિએ લીધી હતી, અને ગચ્છની વ્યવસ્થા જાળવી હતી. રાસકારે અહિં સુધીનું વૃત્તાંત આપી પ્રથમ અધિકાર પૂરે કર્યો છે. સં. ૧૬૭૬ થી ૧૬૯૭.
આ સમયમાં, અર્થાત વિજ્યાનંદસૂરિના આધિપત્યમાં પ્રસ્તુત ચર્ચામાં ઘણું પરિવર્તન થયેલું જે ય છે. જો કે-હેના પ્રારંભિક કાળનું જે વર્ણન રાસકાર આપે છે, એ સખેદાશ્ચર્ય ઉત્પન્ન કરાવનારૂં છે, તે પણ હે પછી થોડા જ સમયમાં “બને આચાર્યોની એકતાને જે પ્રસંગ બન્યો, તે ખરેખર આનંદ ઉપજાવનાર છે. પ્રારંભમાં કવિ વિજયદેવસૂરિને તુરકાએ પકડ્યા, ઊંટની પાછળ બાંધીને વહન કર્યા, હાથ-પગમાં બેડિ નાંખી અને પછી પિટલા દના હાકેમે બાર હજાર મુદ્રાઓ લઈ છુટા કર્યાનું જણાવે છે, પરંતુ આ બધું તોફાન થવાનું કારણ કવિએ કંઈ જણાવ્યું નથી. એકાએક એક મહાન આચાર્ય, કે જહેઓને બાદશાહ પણ માન આપતું હતું, હેમને આવી આફતમાં કઈ લાવી મૂકે, એ ગળે ઉતરે એવી વાત નથી જણાતી. વિજયદેવસૂરિ સંબંધી કવિએ કરેલું આ વર્ણન એવી શંકા તરફ દોરી જાય છે કે-કવિને ઇરાદે વિજયદેવસૂરિની નિંદાજ કરવાને કેવળ હશે. ખેર, તે પછી કવિએ આપેલ શાન્તિદાસ શેઠને પ્રસંગ પણ ખાસ વિચારવા જેવો છે. શાન્તિદાસ શેઠને પહેલાં વિજયદેવસૂરિના પક્ષમાં બતાવ્યા છે, પરંતુ પાછળથી હારે વિજયદેવસૂરિએ “સર્વજ્ઞશતક ગ્રંથ અપ્રમાણ કર્યા સંબંધી પટેલ,
૨૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org