________________
સુદિ ૧૦ ના દિવસે. આ ઉપરથી જણાય છે કે તે બધાને ગુજરાતથી એમાસામાંજ વિહાર કરીને જવું પડયું હશે. વળી ‘મિસાગરનિર્વાણરાસ'માં નેમિસાગરને થયેલી વ્યાધિનું કારણ બતાવતાં જણાવવામાં આવ્યું છે કે –
“મારગે શ્રમ પાણી થકી ડીલે ચડીઓ તાવ,
ઉત્તમ નરને દુ:ખ દીએ એ કળિકાળ સ્વભાવ રે.” ૧૦૨
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-માસામાંજ હેમને વિહાર થયેલું, અને શરદીના લીધે હેમને તાવ લાગુ પડે.
બીજું વિજયદેવસૂરિ'ને બાદશાહે આપેલા “મહાતપા' ના બિરૂદની વાત પણ શ્રદ્ધેયજ છે. વિજયદેવસૂરિને બાદશાહે માંડવમાં “મહાતપા” નું બિરૂદ આપ્યું હતું, એ વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે, એમાં કોઈથી ના પાડી શકાય તેમ નથી.
હવે વિચારવાની બાબત એ છે કે-એક તરફથી વિજ્યતિલકસૂરિ રાસ” ના કર્તા એમ જણાવે છે કે બાદશાહની આગળ અમારે (વિજયપક્ષનો) જય થયો, અને સાગરને પરાજય થયો, જહારે બીજી તરફથી સાગરપક્ષીય ગ્રંથમાં સાગરની છત અને વિજયની હાર બતાવવામાં આવી છે. એટલું જ નહિ પરતુ વિજયદેવસૂરિને “સવાઇમહાતપા” નું બિરૂદ આપ્યાનું પણ જણાવવામાં આવે છે, કે હે હકીકત ઈતિહાસ પ્રસિદ્ધ છે. આ ઉપરથી આપણે એટલું તો અનુમાન અવશ્ય કરી શકીએ તેમ છીએ કે-જે વિજયદેવસૂરિના પત તરફ અર્થાત સાગરપક્ષ તરફ બાદશાહને અરૂચિજ થઈ હેય-તે પક્ષ બેટીજ તકરાર કરે છે, એવું તેના હૃદયમાં પ્રતિભાસ્યું હોય–તો તે તેજ વખતે
સવાઈ મહાતપા' ના બિરૂદથી આચાર્યશ્રીને નવાજેજ કેમ ? જે કે-એ વાત પણ કબૂલ કરવા જેવી છે કે-વિજયપક્ષના ઉપાધ્યાય ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજી સાથે પણ બાદશાહને કંઈ ઓછો સંબંધ નહિ હતો, પરંતુ પરિણામ જે જોવાય છે. તે ઉપરથી વધારે નહિં તો એટલું અનુમાન તો અવશ્ય કરી શકાય છે કે વિજયતિલકસૂરિરાસના કર્તા કહે છે તેમ વિજયદેવસૂરિના પક્ષને ખોટો બતાવવાનું સાહસ તો બાદશાહે નથી જ કર્યું. બલ્ક–એક પ્રબળ પ્રમાણ ના આધારે એમ કહ્યા સિવાય નથીજ રહી શકાતું કે-વિજયદેવસૂરિ સાથે આ સમાગમ બાદશાહને ચિરસ્મરણીય રહ્યો હતો. આ પ્રબળ પ્રમાણ છે – બાદશાહે વિજયદેવસૂરિ ઉપર લખેલે એક પત્ર. આ પત્ર ફારસીમાં છે, અને તે મળ પત્ર તેના અનુવાદ સાથે “ સૂરીશ્વર અને સત્રા નામના પુસ્તકમાં
ર૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org