________________
" किं चायं निर्नामकः श्रीहरिगुरुप्रसादितद्वादशजल्पेषु नवजल्पान् साक्षादुत्थापयन्नस्ति, तत्पत्रान्तरादवसेयं । तेन श्रीवीरवचांसि श्रीहीरवचांसि श्रीसंघवचांसि चावजाननुत्सूत्रवादिनां प्रथमरेखां प्राप्तवान् । तथा तिलतुषत्रिभागमात्रमपि क्लेशमसभ्यवचनादिना अभ्याख्यानदानादिना पाषाणक्षेपादिना दीवानगमनादिना मेरुप्रायं संवर्द्धितवांश्च तावद् यावद् साहिसभागमनं, તતડચ સંસઃ સર્વથા ટ્રેઃ ”
લેખકનું એ લખવું સત્યજ છે કે-હે કલેશ એક ન માત્ર હતો, તે એક મેરૂ પર્વત જેવડો થઈ ગયે. લેખકે કલેશનું એવડું મોટું રૂપ આપનાર તરીકે વિજયપક્ષને ગયો છે, હારે વિપક્ષના લેખકે એ સાગરપક્ષને ગણ્યો છે. વસ્તુતઃ એવડું રૂપ આપનાર કોઈ પણ એક પક્ષ તો નજ ગણાય. હમેશાંના નિયમ પ્રમાણે એમ કહેવું ખોટું નથી જ કેમેરૂ જેટલું રૂપ આપવામાં બન્ને પક્ષનો થોડે ઘણે અંશે હિસ્સો હોવો જોઈએ.
ઉપરના કથનમાં આ કલેશનું પરિણામ બાદશાહના દરબારમાં જવા સુધીનું બતાવવામાં આવ્યું છે. તે પણ સત્ય છે. કારણ કે પ્રસ્તુત રાસમાં પણ માંડવગઢમાં જહાંગીર બાદશાહે, બન્ને પક્ષના આગેવાનોને બોલાવ્યાનું લંબાણથી વર્ણન કરવામાં આવ્યું છે. (જૂઓ રાસસાર પૃ. ૭૮-૭૯) આ પ્રસંગ બહુ ગંભીરતાપૂર્વક વિચારવા જેવો છે. રાસકાર એ તો કબૂલજ કરે છે કે-તપાગચ્છમાં ચાલતા આ મહાનું કલેશની સંપૂર્ણ હકીકત બાદશાહના કાન સુધી ભાનચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીએ પહોંચાડી હતી અને હેના પરિણામે બાદશાહે બન્ને પક્ષના આચાર્યો –વિજયદેવસૂરિ અને વિજયતિલકસરિ–ને તેમજ બીજા પણ આગેવાન સાધુઓને બોલાવ્યા હતા. બાદશાહની પાસે બન્ને પક્ષકારોના ભેગા થયા પછી જે પરિણામ આવ્યું તે, રાસકારના શબ્દોમાં કહીએ તો –
આપ આપણું કરો જિઉં બઝે અબ થિં કેઈ મત પ્ર. ૧૩૬૮ એટલુંજ આવ્યું છે. અર્થાત્ બાદશાહે હવેથી ઝઘડે નહિ કરવાનીજ ભલામણ કરી હતી. આ પરિણામ ઉપર કંઈક વિશેષ નિરીક્ષણ કરી લઈએ.
વિદ્યાસાગર વાચકના શિષ્ય કૃપાસાગરે સં ૧૬૭૪ માં નેમિસુર
૨૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org