SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ • ગચ્છનાયક હેઓને આટલું બધું માન આપે, તેઓને આચાર્ય પદવી ન આપવામાં શું સંકેત હશે, એ કંઈ કહી શકાતું નથી. આ વિષયમાં સહામોપક્ષ ( સાગરપક્ષ ) આ આચાય પદ માટે શું વદે છે, તે પણ આપણે જોઈ લઈએ. “ઝાવવાનામના એક સંસ્કૃત ગ્રંથની પ્રતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના ભંડારમાં છે. જે ૧૨ પાનાની પ્રતિ છે. આ ગ્રંથના કર્તા તરીકે કેઈનું નામ નથી, પરંતુ તેમાં જહે હે બોલેનું સમર્થન કરવામાં આવ્યું છે, તે ઉપરથી સમજાય છે કે—ધર્મસાગરજીના અનુયાયી કોઈ વિદ્વાને તે ગ્રંથ બનાવેલો હોવો જોઈએ. આ ગ્રંથમાં કર્તાએ હામા પક્ષને નિમકમત” “ઉપાધિમતી રાસલીમત વિગેરે વિશેષણોથી સંબો છે અને તે તે વિશેષણે શામાટે આપવામાં આવ્યાં છે, તે પણ સાથે સાથે જણુવ્યું છે. આ ગ્રંથકાર રામવિજય (વિજયતિલકસૂરિ) ની આચાર્ય પદવીના સંબંધમાં કથે છે – " श्रीमद्विक्रमतोऽग्निवारिधिरसग्लौसम्मिते हायने कस्मात् सोमलनामकेन विधिया दहसूरसद्वासरे । पौषे रुद्रतिथौ कुजे कलिवशाद् भ्रष्टादुराचारतः क्रीत्वा द्युम्नबलेन रामविजयः सूरीकृतस्तैन्यतः ॥ આ પક્ષ એમ કહે છે કે રામવિજ્યને ચેરીથી અને દ્રવ્યવ્યયથી આચાર્ય પદવી આપી દીધી હતી. આગળ વધીને આ ગ્રંથકાર તો એમ પણ કહે છે કે – "तदपि सूरिपदं साहिना राजनगरमध्ये वालेयारोपणपूर्वकं दूरीकृतं।" આમાં કહાં સુધી સત્ય છે, તે કહી શકાય નહિં, કારણ કે બન્ને પક્ષકારોએ પિતાને નિર્દોષ બતાવી હામા પક્ષનાં છિદ્રો-પછી તે ખરાં કે ખોટાં–બતાવવા પ્રયત્ન કર્યો છે. ઉપરના શ્લોકમાં આચાર્ય પદવીને દિવસ પિસ સુદિ ૧૧ ને લખ્યો છે, જહારે આ રાસકારે બારશતિથિ લખી છે. રાસકાર દર્શનવિજયજી, જહેમ સાગરપક્ષકારોને હરવચન અને વીરવચનના ઉત્થાપક તરીકે ગણાવે છે, હેવી રીતે સાગર પક્ષકારે પણ તેજ શબ્દોથી વિજયપક્ષકારોને સંબોધે છે. ઉપર્યુક્ત પ્રણવવાર ગ્રંથમાંજ એક સ્થળે કર્તા લખે છે – Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy