SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વરજી મહારાજશ્રીના ભંડારમાં છે. હેમાંની એક પ્રતિ ૯ પાનાની છે અને બીજી ૧૯ પાનાની. ૧૯ પાનાની પ્રતિમાં ૧૮ પ્ર વિસ્તારપૂર્વક છે, હારે ૯ પાનાની પ્રતિમાં કંઈક સંક્ષેપમાં છે. પ્રારંભમાં વિસ્તારથી ૧૮ બેલ લખ્યા પછી ભકિતસાગરજીએ હેના જવાબ આપવાની સૂચના કરનાર બકે એક પ્રકારની ચૅલેંજ આપનારે એક પત્ર અને એક બીજો પત્ર, એમ બે પત્ર સેમવિજયજી ઉપર અને એક પત્ર શ્રાવક ઉપર-એમ ત્રણ પત્રો લખ્યા છે. આ ત્રણે પત્રો પ્રસ્તુત ચર્ચાને અંગે ઉપયોગી હોવાથી પુરવણી “ક” “” અને ન તરીકે આ અવલોકનની અંતમાં આપવામાં આવ્યા છે. સેમવિજયજીએ આ ૧૮ પ્રાના ઉત્તરો આપ્યા હતા કે કેમ ? તે સંબંધી કંઈ પ્રમાણ મળ્યું નથી. ઉપર કહેવામાં આવ્યું છે કે-હારે વિજ્યદેવસૂરિ કોઈપણ રીતે નજ સમજ્યા અને સાગરની માન્યતા પ્રમાણે પ્રરૂપણ કરવાજ લાગ્યા, હારે સેમવિજયજી વિગેરે ઉપાધ્યાયોએ મળીને નવા આચાર્ય સ્થાપન કર્યા. આ નવા આચાર્ય તે વિજયતિલકસૂરિ, જહેમનું નામ રામાવજય હતું. સં. ૧૬૭૩ ના પિસ સુદિ ૧૨ ના દિવસે હેમને “આચાર્યપદ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે એટલું વિચારવું પડશે કે-રામવિજયજી તે વખતના પ્રસિદ્ધ વિદ્વાન સાધુઓ પૈકીના એક હોતા, તે વખતે સેમવિજયજી, ભાનુચંદ્રજી, સિદ્ધિચંદ્રજી વિગેરે ઘણા વિદ્વાન ઉપાધ્યાયો અને સાધુઓ હતા. ખાસ કરીને સેમવિજ્યજી ઉપાધ્યાય, કે હેઓને કવિએ પિતાના પક્ષના એક આગેવાન તરીકે ઓળખાવ્યા છે, મુખ્ય હતા; છતાં તેઓને આચાર્ય પદવી ન આપવામાં આવી અને રામવિજયજી નામના અપ્રસિદ્ધ સાધુને શોધી કાઢયા, એને હેતુ શો હશે, એ રાસ ઉપરથી વ્યક્ત થતું નથી. વળી ગચ્છનાયક વિજયસેનસૂરિની અન્તિમ ભલામણો કે જહે રાસકાર કવિએ ઉલ્લેખી છે, તે ઉપર દૃષ્ટિપાત કરીએ છીએ, હારે પણ એમજ જણાય છે કે-રામવિજયજીને આચાર્ય પદવી આપવામાં તેમને કંઈપણ ગુપ્ત સંકેત હોવો જોઈએ. કારણ કે ગચ્છનાયકે અન્તિમ ભલામણોમાં સ્પષ્ટ કહ્યું છે – સેમવિજય વાચકપતિ મુઝ મનિ જિમ ગુરૂ હીર; - તિમ સહુ સંઘ આરાધયો થાય સાહસ ધીર રે.”૬૬૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy