________________
૧૬૭૨ થી ૭૯
આ સમયમાં બનેલા બનાવો વધારે ધ્યાન ખેંચનારા છે. એ તે દેખીતું જ છે કે સાગરપક્ષવાળાઓને વિજયદેવસૂરિની અસાધારણ સહાયતા મળી હતી, અને તેથી તેઓ પોતાના વિચારોનો પ્રચાર કરવામાં સારી રીતે ફાવી જાય, એમાં કંઈ નવાઈ જેવું પણ નથી. વળી બીજી તરફથી ગચ્છનાયક વિજયસેનસૂરિને સ્વર્ગવાસ થયો, એટલે વિજયદેવસૂરિને પણ વિશેષ કઈ કહી શકે તેમ રહ્યું નહિં. તેમ છતાં પણ રાસ ઉપરથી જોઈ શકાય છે કે સૌમવિજયવાચક, નંદિવિજયજી વિગેરેએ સાગરના વિચારે લેકના હદયમાં ન હસે, એવો પ્રયત્ન કરવામાં પણ કચાશ રાખી હતી. હેમના તે પ્રયત્નો પૈકીને એક પ્રયત્ન સામવિજયજીએ કાઢેલા “છત્રીસબલ છે. આ છત્રીસ બેલમાં ધર્મસાગરજીના વિચારોનું શાસ્ત્રીય પુરાવાઓ આપીને ખંડન કરવામાં સેમવિજ્યજીએ જેમ સંપૂર્ણ સાવધાની રાખી છે, તેમ સતત પરિશ્રમ પણ કર્યો જણાય છે. આ છત્રીસ બોલે ધ્યાનપૂર્વક વાંચનારને સેમવિજયજીની વિદ્વત્તાનો ખ્યાલ આવી જાય છે. પં. ભાવવિજયગણિએ, સં. ૧૬૭ માં કપડવણજમાં લખેલ પત્ર પરિવાર માં સમવિજયજીને આ “છત્રીસ લ’ શા માટે કાઢવા પડ્યા, એ બતાવતાં કહ્યું છે –
મિસાગર અને ભક્તિસાગર જે પ્રરૂપણ કરતા હતા, તેનાથી ઘણએના મનમાં એ શંકા થવા લાગી હતી કે આ કહે છે તે સાચું છે કે–ચ્છનાયકની પ્રરૂપણું સાચી છે.” લેકની આ શંકાના નિવારણને માટે સેમવિજયજીએ છત્રીસલ કાઢયા હતા.”
આ પછીનો એક ખાસ બનાવ ધ્યાન ખેંચે છે, અને તે એ છે કેસાગરને પહેલાં ગરછથી બહાર કાઢવામાં આવ્યા હતા, તેઓને પાટણમાં વિજયદેવસૂરિએ ચૈત્ર મહિનાની અમાવાસ્યાએ ભેગા લઈ લીધા. આથી
અમદાવાદ, ખંભાત વિગેરે ગામમાં ખળભળાટ મચી ગયો. અને હેમણે વિજયદેવસૂરિને પત્ર લખ્યો, હેમને જવાબ પણ એવો જ આ કે-જહેમાં સત્તાને પ્રધાનસ્થાન આપવામાં આવ્યું હતું. આથી જણાય છે કે વિજયદેવસૂરિએ હવે પોતાના આ મન્તવ્યને વધારે વાર ગુપ્ત રાખવાનું નહિં પસંદ કરેલું હોવું જોઈએ. આનું પરિણુમ એ આવ્યાનું રાસકાર જણાવે છે કે-વિજયપક્ષના ઉપાધ્યાયોએ સં. ૧૬૭૨ના વૈશાખ સુદિ ૧૩ના દિવસે સાગરેની સાથે વિજયદેવસૂરિની સાથે સંબંધ પણ બંધ કર્યા સંબંધી ખુલ્લા પગામેગામ લખ્યા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org