________________
ધર્મસાગરજીના સ્વર્ગવાસ પછી હેમની શ્રદ્ધા-હેમની માન્યતાનું સમર્થન કરવાનું કામ ઉપાધ્યાય નેમિસાગરજી અને ભક્તિસાગરજી વિગેરેએ ઉપાડ્યું હતું. બંને પક્ષકારોમાં હવે એ ધૂન લાગી હતી કે એક બીજાના રાગી શ્રાવને પિતાના પક્ષમાં ખેંચી લેવાનો પ્રયત્ન કરો અને હેના લીધે જહે જહે ગામમાં બન્ને પક્ષના સાધુઓ જતા, તે તે ગામોમાં શ્રાવકને પિતાના પક્ષમાં ખેંચવાને પ્રયત્ન કરતા. પરિણામે શ્રાવકમાં પણ બે કે તેથી પણ વધારે પક્ષે પડી જતા.
આચાર્ય વિજયદેવસૂરિજી, ગચ્છનાયક વિજ્યસેનસૂરિના પટાધર હતા. તેઓ સાગના પક્ષમાં આજ સમયમાં થયા હતા. રાસકાર કવિ, વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં શી રીતે થયા, તેનું કારણ બતાવતાં થે છેઃ“ તેણુઈ તિહાં પોતાનાં રાજિ આચારજિ વસિ કરવા કારિ, ૪૩૩
આરાધઈ ચિંતામણિ મંત્ર હામ ધુપ કીધા બહુ તંત્ર, તેણુઈ આચારજિનું થયું બહુમાન તે તે મંડઈ અધિકાં તાન.”૪૩૪ : કવિનું આ કથન ક્યાં સુધી પ્રામાણિક હશે, તે કંઈ કહી શકાય નહિં. સોદમાવતનપટ્ટાવર ના કર્તાનું કથન છે કે–“ ધર્મસાગરજી અને વિજયદેવસૂરિ એ બે ગૃહસ્થાવસ્થામાં મામા ભાણેજ થતા હતા, એટલે કે ધર્મસાગરજી મામા થતા હતા અને વિજયદેવસૂરિ ભાણેજ. અને તેથી જ વિજયદેવસૂરિએ હેમનો પક્ષ લીધો હતો.” આ વાતને પુષ્ટ કરનાર એક પણ પ્રમાણ મહને મળ્યું નથી, કદાચ મામા-ભાણેજ થતા હોય, પરંતુ તેજ કારણથી પક્ષ કર્યો, એમાં શું પ્રમાણ છે ? વળી પટ્ટાવલીકાર તો કહે છે કે “ધર્મસાગરજીને હારે વિજયસેનસૂરિએ ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર મૂક્યા, ત્યારે હેમણે વિજયદેવસૂરિને તે બધી હકીકત જણાવી, ને વિજયદેવસૂરિએ જવાબ આપ્યો કે–ગુરૂ નિર્વાણ બાદ હમને ગચ્છમાં લઈશું, હમે કોઈ પણ જાતની ચિંતા કરશે નહિં.” - આ હકીકત પ્રસ્તુત રાસથી બહુ દૂર જાય છે. વિજયસેનસૂરિએ ધર્મસાગરજીને ગચ્છ બહાર મૂક્યા જ નથી. ગચ્છ બહાર મૂક્યા હતા વિજયદાનસૂરિએ અને લીધા હતા પણ વિજયદાનસૂરિએ. ધર્મસાગરજી તે હીરવિજયસૂરિના નિર્વાણ સમયની લગભગમાંજ સ્વર્ગવાસી થયા હતા. હા, વિજયદેવસૂરિએ ઉપર પ્રમાણેની હિમ્મત આપ્યાની હકીકત પ્રસ્તુત રાસમાં પણ કવિ આપે છે. પણ તે, નેમિસાગર સંબંધી છે. વાત એમ બની હતી કે–એક વખત
૧૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org