SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ પર્કિન્નપરિવાર માં આ મિચ્છામિદુક્કડ સં. ૧૬૪૮ ના પોષ સુદિ ૧૫ ના દિવસે દીધાનું જણાવ્યું છે. હે પાંચ બેલે સંબંધી ધર્મસાગરજીએ આ વખતે મિચ્છામિદુક્કડ દીધો, હેમાં પાંચમે બેલ “બાર બલથી વિરૂદ્ધ પ્રરૂપણ કર્યા સંબંધી છે. આ ઉપરથી જણાય છે કે-હીરવિજયસૂરિએ બારબાલ કાઢક્યા પછી પણ ધર્મસાગરજીએ તે બેલ વિરૂદ્ધ-પિતાની માન્યતા પ્રમાણે પ્રરૂપણ કરેલી હોવી જોઈએ. આ પછી ધર્મસાગરજીએ સર્વજ્ઞાત નામનો ગ્રંથ બનાવ્યો હતો. આ ગ્રંથ હીરવિજયસૂરિના હાથમાં આપ્યું ન હોય, અથવા તો ગમે તે કારણ હે, પરન્તુ સૂરિજીના સ્વર્ગવાસ સુધી આ ગ્રંથ માટે કંઇપણ ચર્ચા થવા પામી હેતી, એ વાત સ્પષ્ટ છે. કમભાગ્યે થોડા થોડા સમયના અંતરેજ હીરવિજયસૂરિ અને ધર્મસાગરજીનો સ્વર્ગવાસ થયો હતો. એટલું જ નહિં પરતુ ધર્મસાગરછના એક શિષ્ય લબ્ધિસાગરજીને પણ સ્વર્ગવાસ થયો હતો. અહિં સુધીના વૃત્તાન્ત ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે-ગચ્છનાયક વિજયદાનસૂરિ અને ગચ્છનાયક હીરવિજયસૂરિ, એ બન્નેએ એવી યુક્તિથી કામ લીધું જણાય છે કે જેથી વિય-સાગરનો વિખવાદ વધુ વધવા પામ્યો નહોતો. ધર્મસાગરજીએ પણ ગચ્છનાયકે હારે હારે જહેમ જહેમ કહ્યું હારે હારે તેમ તેમ લખી આપ્યું, અને મિચ્છામિદુ પણ દીધા. એજ બતાવી આપે છે કે તેઓની ઇચ્છા પણ કલેશને વધારવાની તે નહિંજ હતી. બેશક, એટલું તો ખરું જ છે કે-હેમને ચોક્કસ બાબતમાં જ શ્રદ્ધા દઢ થઈ હતી, તે શ્રદ્ધામાં ફેર પડ્યો હોય, એવું જણાતું નથી. વળી હેમની શાસ્ત્રીય વિષયમાં ગમે તેવી શ્રદ્ધા હોવા છતાં હેમણે ગચ્છનાયકે પ્રત્યેનો ભક્તિભાવ કે બહુમાનમાં કિંચિત માત્ર પણ ઘટાડે કર્યો હોય, એવું જણાતું નથી. હીરવિજયસૂરિ અને ધર્મસાગરજીનો સંબંધ તો કંઇ ઓર જ પ્રકારનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો હીરવિજયસૂરિ અને ધર્મસાગરજી તો ન્હાની ઉમરથીજ સહયોગી હતા. દક્ષિણમાં આવેલા દેવગિરિમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરવા માટે હીરવિજયસૂરિ (તે વખતના હીરહર્ષ), ધર્મસાગરજી અને રાજવિમલજી-એ ત્રણ સાથેજ ગયા હતા, અને સાથેજ ભણીને ગુરૂ પાસે આવ્યા હતા. વિજયદાનસૂરિની ઈચ્છા હારે કોઈને પણ આચાર્ય પદવી આપવાની થઈ, ત્યહારે હીરહર્ષ ( હીરવિજ્યસૂરિ) ને આચાર્યપદ આપવાનો પ્રસ્તાવ પણ ધમસાગરજીએજ મૂક હતા અને ઘણાઓની-ઈચ્છા-બકે ખુદ વિજયદાનસૂરિની પણ ઈચ્છા–બીજાને આચાર્ય ૧૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy