________________
પટે વિજયદાનસૂરિએ કહારે લખે, તે જણાવ્યું નથી, પરંતુ શ્રાવક કવિ ત્રષભદાસ, પિોતે બનાવેલ “ વિષયસૂરિવાજોનાર ' માં તે સાત બોલનાં નામે આપવા સાથે તે પટે વીસનગરમાં સં. ૧૬૧૯ના માગશર સુદિ ૧૪ ની મિતિએ લખ્યાનું જણાવે છે. “સંવત સાલ ઉગણીસે જામ, માગશર શુદિ ચઉદશ કહી તા. ૩૯ ૧૬રર થી પર
આ સમય એ હીરવિજયસૂરિના ગચ્છાધિપત્યને સમય છે. ગચ્છનાયક વિજયદાનસૂરિના સમયમાં ધર્મસાગરજીની પ્રરૂપણ નિમિત્તે હે લેશનું બી વવાયું હતું, હેને અંકુરે આ સમયમાં ફૂટ્યો હોય તેવું રાસ ઉપરથી જોવાય છે. જોકે વિજયદાનસૂરિએ તે કલેશના બીજને દગ્ધ કરવા માટે યથાસાધ્ય પ્રયત્નો કર્યા હતા, અને જેમાં હેમણે પોતાના સમયમાં તો કેટલેક અંશે સફળતા પણ મેળવી હતી, પરંતુ પાછો તે અંકુર બહાર દેખાવા લાગ્યા હતા. પ્રસ્તુત સમયમાં જાહે બનાવો બન્યા, હેમાં ખાસ ધ્યાન ખેંચનારા આ છે –
૧ પ્રવચનપરીક્ષા ગ્રંથની ઉત્પત્તિ, ૨ હીરવિજયસૂરિએ કાઢેલા બાર બોલ, ૩ ભદુઆ શ્રાવક વિગેરે પર જણને સંધ બહાર મૂકવા, ૪ ધર્મસાગરએ માગેલે મિચ્છા દુક્કડ અને ૬ “સર્વશતક' ની ઉત્પત્તિ.
ઉપર્યુકત બનાવમાં સૌથી પહેલો બનાવ ધર્મસાગરજીએ વનપત્તા ( સટીક) ગ્રંથ બનાવ્યો તે છે. આ ગ્રંથને શાસ્ત્રથી વિરૂદ્ધ બતાવવા
માં આવે છે; પરંતુ સાથે સાથે એમ પણ રાસકાર કહે છે કે “ ધર્મસાગરજીએ તે ગ્રંથ બનાવી હીરવિજયસૂરિને શોધવા આપે,સૂરિજીએ ચાર ગીતાર્થોને તપાસવા આયો, અને તે ગ્રંથનો પ્રચાર કરવાનો આદેશ પણ સૂરિજીએજ આપ્યો.” પરંતુ રસકાર એટલે બચાવ અવશ્ય કરે છે કે “જે ગીતાર્થોને આ ગ્રંથ શોધવા આવ્યો હતો, તેઓ ધર્મસાગરજીના મળતીયા હતા. હેમણે વગર શોધેજ “ ધી લીધો” એમ કહીને સૂરિજીને તે ગ્રંથ આખ્યો હતો.”
આ પ્રસંગે સામાન્યતઃ એવી શંકા ઉપસ્થિત થઈ શકે કે-જહેઓને ગ્રંથ શોધવા માટે આપવામાં આવ્યો હતો, તેઓ ધર્મસાગરજીના મળતીયા હતા તે પછી સૂરિજી તેઓને શોધવા આપતેજ કેમ? પરંતુ એવું ઘણી વખત બને છે કેમહાત્મા પુરૂષોનાં હૃદય એટલાં બધાં નિષ્કપટ અને સહદય હોય છે કે તેઓ
૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org