________________
રાસાકાર કવિએ ઉપર્યુક્ત “ રાજા ' ગ્રંથ કહારે પાણીમાં બેળ્યો, તે બતાવેલ નથી, પરંતુ ઉપાધ્યાય ભાવવિજયજી પોતાના રિ
રવિવાર માં જણાવે છે કે તે ગ્રંથ વીસનગરમાં સં.૧૯૧૯ માં બોળવામાં આવ્યો હતો. કવિ કથે છે કે-આ ગ્રંથ ધર્મસાગરજીએ બનાવ્યો હતો, પરંતુ તે વાત ઠીક નથી.
આત્માનંદ પ્રકાશ' ના ૧૫ મા પુસ્તકના ૩-૪ અંકમાં સાહિત્યપ્રેમી જિનવિજયજીએ ધર્મસાગરજી સંબંધી એક લેખ પ્રકટ કરાવ્યો છે. હેમાં હેમણે પોતાને મળેલાં પ્રાચીન પાનાં જેવીને તેવી ભાષામાં આપ્યાં છે. તેમાં એક સ્થળે જણાવ્યું છે કે –
“પછઈ ઉપાધ્યાય શ્રીધર્મસાગરગણિ પાટણ મળે વડીપાસાલને ભંડાર “સર્વ જે, લહુડીપરાળનો ભંડાર જોયો, તે બે ભંડાર મથે વડસાલનો “કીધે ગ્રંચ ઉસૂત્રકંદકદાલ' ગ્રંથ સટીક નીકળ્યો, તે મળે પૂનમિઆ,
ખરતર, આંચલિઓ, સાઢપૂનમિઆ, આગમિઆ એ પાંચનો આમૂલ વૃત્તાંત નીકળ્યો, એ પાંચનઈ જમાલિ સરિષાં નિહૂનવ કહાં છઈ, અનઈ તપાગચ્છન“ઈજ વિષઈ ચારિત્ર છષ્ઠ ઇત્યાદિક લિખ્યું છઉં, તે વ્રતિ પામ્યાં, તે ગ્રંથ લિખાવી લીધું.”
ઉપરના પુરાવાથી સ્પષ્ટ જવાય છે કે- આ ગ્રંથ, ધર્મસાગરજીને પાટણમાં વડીપોસાલ અને લધુપસાલના ભંડાર તપાસતાં વડીપોસાલના ભંડારમાંથી પ્રાપ્ત થયો હતો. વળી આ ઉપરથી એ પણ જણાય છે કે આ મથમાં પૂનમિયા, ખરતર, આચલિયા, સાઢપૂનમિયા અને આગમિયા–એ પાંચ ગચ્છોને નિદ્ભવ બતાવેલા હતા.
ઉપરના બે ભંડારો જોવાનું શું કારણ પડયું હતું ? એ પણ ઉપરના ફકરાની પહેલાં જણાવ્યું છે, તે ઉપરથી જણાય છે કે–ખરતરગચ્છીય ઉપાધ્યાય ધનરાજની સાથે ઉપાધ્યાય ધર્મસાગરજીને અભયદેવસૂરિ ખરતરગચ્છીય હતા કે નહિં?” તે સંબંધી વિવાદ થયો હતો. અને આ વિવાદને માટેજ હેમણે ઉપર્યુક્ત બે ભંડારો જોયા હતા. પરિણામે ધર્મસાગરજીએ ૨૧ પ્રથોની સાક્ષી અભયદેવસૂરિ ખરતરગચ્છીય હેતા, એ બાબતમાં આપી હતી. અને વિજયદાનસૂરિની પણ ખાતરી કરી આપી હતી. (વધુ માટે જૂઓ “આત્માનંદ પ્રકાશનો તે આંક. ૫. ૮૬ થી ૮).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org