________________
ફળદ્રુપક્ષેત્રમાં વિખવાદરૂપી વિષનું બીજ રોપાયું હતું. અને તે બીજ તરીકે રાસકારે “ સૂત્રવાસગ્રંથને ગણ્યો છે. આ ગ્રંથ ઉપાધ્યાય શ્રીધર્મસાગરજીએ બનાવ્યો હતો એમ કવિ કહે છે. ઉપાધ્યાય ધર્મ સાગર તે સમયના અસાધારણ વિદ્વાનો પૈકીના એક હતા. તેઓ વિદ્વાનજ નહિં હતા, પરન્તુ શાસનના પ્રેમી, તીવ્રલાગણીવાળા અને ઉત્તમ લેખક પણ હતા. હેમની કૃતિઓ તેમના આ ગુણે ઉપરાન્ત જે કંઈ વિશેષતા બતાવે છે તે તેમને ઉગ્ર સ્વભાવ અને નિડરતા છે. ધર્મસાગરજી કોના શિષ્ય હતા ? તે સંબંધી માત્ર એક પ્રમાણ મળ્યું છે અને તે ભાવવિજય ઉપાધ્યાયે બનાવેલ રિશ વિરાર છે. હેમણે આ ગ્રંથની શરૂઆતમાં એક સ્થળે લખ્યું છે –
" तपागच्छे श्रीविजयदानसूरिराज्ये पं० जीवर्षिगाणविनेयाः श्रीविजयदानसूरिपाठिता बहुश्रुता इति लोकैः बहुमन्यमानકરનાર શ્રીપાધ્યાયા રાસ' (હસ્તલિખિત પ્રતિ પત્ર ૧)
આ ઉપરથી જણાય છે કે–તેઓ ૫૦ જીવષિગણિના શિષ્ય થતા હતા. (આ જીવર્ષિગણિ લક્ષ્મીભદ્રની શાખામાં થયેલ આનંદમાણિજ્યગણિના શિષ્ય અને શ્રતસમુદ્રગણિના સાત શિષ્યો પૈકીના એક હતા.) વિજયદાન રિ ની પાસે હેમણે અભ્યાસ કર્યો હતો. ઉપરનો ગ્રંથ ઉપાધ્યાય ભાવવિજયજીએ ધર્મ સાગરજીના વિચારોની વિરૂદ્ધમાં લખ્યો છે, છતાં પણ ધર્મસાગરજીને પરિચય કરાવતાં હેમણે હેમની વિદ્વત્તાની લેકે ઉપર પડેલી છાપ અવશ્ય સ્વીકારી છે.
વિજયદાનસૂરિના સમયમાં, અથવા કહો કે સં ૧૬૧૬ થી ૧૬૨૨ સુધીમાં જે કંઈ ધ્યાન ખેંચનારા બનાવો બન્યા, તે કવિના કથન પ્રમાણે આ છે -
દધિચાત્ત ” નું જલશરણું કરવું. અમદાવાદના મેતા ગલાને પક્ષમાં લઈ તેની પ્રરૂપણ કરવી, હેમને ગબહાર કરવા અને પાછા ગચ્છમાં લેવા, વિજયદાનસૂરિએ એક પટો બહાર પાડ. ધર્મસાગરજીએ હવે પછી તેવી પ્રરૂપણા નહિં કરવાની કબૂલાત આપવી, સાતબોલ સંબંધી મિચ્છામિદુક્કડ દેવો અને સં. ૧૬૧૯ ના માગશર સુદિ ૧ ના દિવસે આજ્ઞાપત્ર વ્હાર પાડ્યું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org