SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિદાસ શેઠ ઉપર ઘણું બેટું લાગ્યું. ઠેકાણે ઠેકાણે તેમની નિંદા થવા લાગી. પછી તેઓ ગુજરાતમાંથી વિહાર કરી મારવાડમાં ચાલ્યા ગયા. હવે વિજયાનંદસૂરિ કેરવાડાથી વિહરવા લાગ્યા. તેઓ જબસર, સીનેર થઈ ડેઈ આવ્યા. સંખેડાને સંઘ અહિં આવ્યું. હેટો ઉત્સવ થ. લઢણુપાર્શ્વનાથની યાત્રા કરી, પુણ્યવિજયને વાચકપદ આપ્યું. ત્યહાંથી સંખેડે પધાર્યા. ત્યહાંથી સીર આવ્યા, હારે ખંભાતને સંઘ અહિં વિનતિ કરવા આવ્યો, સૂરિજી ખંભાત થઈ રાજનગર પધાર્યા, હાં શાંતિવિજય અને ભાવવિજયને વાચક પદ આપ્યાં. અહિં ઘણા શ્રાવક શ્રાવિકાઓએ વ્રત–નિયમ–તપસ્યાને આદર કર્યો. ધર્મદાસ, વિસા, બદા અને કેશવે ગુરૂભક્તિ નિમિત્તે પ્રભાવના આદિમાં ઘણું દ્રવ્યને વ્યય કર્યો. સિદ્ધાચલની યાત્રા. આ સમયમાં મારવાડમાં આવેલા નાડલાઈ ગામમાં ચાર સારા ગૃહસ્થ રહેતા હતા. તે ચારે સગાભાઈઓ થતા હતા. તેમનાં નામ મેહાજલ, ચાપ, કેસવ, અને કૃષ્ણ, હતાં. તેમના પિતાનું નામ વીરપાલ હતું. વીરપાલને બીજા બે ભાઈઓ હતા. જસવંત અને જયમલ. ઉપર કહેલા ચાર ભાઈઓ પૈકી મેહાજલને બે પુત્રો હતા. કમરાજ અને ગુણરાજ. કેશવને બે પુત્રેના અને નારાયણ. ચાંપાને બે પુત્રો હતા–વદ્ધમાન અને રૂડે અને કૃષ્ણને બે હતા–ધનરાજ અને સુખરાજ. આ ઉપરાંત વીરપાલના બે ભાઈઓ, જે જસવંત અને જયમલ હતા, હેમાં જસવંતના રાષભદાસ અને લક્ષમીદાસ બે પુત્ર હતા. જયમલને એક હતું, જેનું નામ હરચંદ હતું. ઉપર્યુક્ત ચારે ભાઈઓને વિમલાચલની યાત્રા માટે સંઘ કાઢવાને વિચાર થયો. તેઓને વિચાર થયે કે–પૂજ્ય શ્રી વિજયાનંસૂરિને સાથે લઈ સંઘ કાઢ. મુહૂર્ત જેવડાવીને પછી હેમણે સંઘને વિનતિ કરી. આ વખતે સંઘમાં કચરાને પુત્ર ઠાકરસી, [૩] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy