SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ નિષેધ કરે છે એ શું? મહારાજ ! આપનાથી એને નિષેધ નહીં થઈ શકે. આવું અવિચાર્યું કામ કરવું વ્યાજબી નથી. આપે કેટલાં અવિચારી કામ કર્યા છે. એક તે સૂરિપદ આપ્યું, બીજુ જુદુ વ્યાખ્યાન કરાવ્યું, ત્રીજી વખત કરાવ્યું, ને શું વિજયતિલકસૂરિના ગુણગાનને નિષેધ અને પાંચમું આ શુભવંદનને નિષેધ. આટલાં અવિચાર્યા કાર્યો કર્યા છે.’ શ્રાવકે આટલું સંભળાવવા છતાં હેમણે કદાગ્રહ છોડ્યો નહી પરન્ત શ્રાવકે એ હેમને ઉપદેશ નજ માન્ય અને હે પ્રમાણે વંદન કરતા હતા તે પ્રમાણે કરતાજ રહ્યા. વળી આ હકીકત હેમ હેમ જુદા ગામેના સંઘના જાણવામાં આવી, તેમ તેમ દરેક સ્થળેથી તેમના ઉપર કાગળ લખાયા કે—શાસ્ત્ર-સિદ્ધાન્તને શા માટે ઉત્થાપે છે? અને તેમ કરીને આખા સમાજમાં લેશ કાં ઉભું કરે છે?” પશુ તેઓનું માનેજ કેણ તે? કેરવાડામાં પ્રતિષ્ઠા. બીજી તરફ વિજયાનંદસૂરિ સૂરતમાં ચોમાસુ પૂરૂ કરી ગણદેવી અને વલસાડ પધાર્યા. અહિં ભરૂચના ડુંગરશી શેઠ અને તેમના બેન કીકીએ આવી સૂરિજીને પ્રાર્થના કરી કે-કેરવાડામાં મેઘજી શેઠને પ્રતિષ્ઠા કરાવવી છે, માટે આપ હાં પધારે. આપના પધારવાથી ત્યહાં લાભ ઘણે થશે. સૂરતમાં જહેમ મુદ્દાઓની પ્રભાવના થઈ, તેમ હાં પણ થશે. હાંના ઠાકર ભારમલ પણ આપનું પધારવું ચાહે છે, વળી ગુજરાતમાં ગામેગામ કતરીઓ મેકલાઈ ગઈ છે. માટે આપ જરૂર પધારે. આપને લેવાને માટે જ મહને મોકલેલ છે. આ ઉપરાંત ખંભાતથી બ્રહ્મચારી રાઘવજી અને જંબુસરથી શાંતિ વેરે વિગેરે પણ આવ્યા, અને આ પ્રતિષ્ઠા ઉપર પધારવાને સૂરિજીને વિનતિ કરવા લાગ્યા. રાજનગર અને ખંભાતના તિષિઓ અને સુરવિજય પંન્યાસ—એ બધાએ મળીને પ્રતિષ્ઠાનું મુહૂર્ત ફાગણ વદ ૪ નું નકકી કર્યું હતું. આ બધાઓની વિનંતિના ઉત્તરમાં વિજયાનંદસૂરિએ કહ્યું–વિજયદેવસૂરિની આજ્ઞા હોય, તેજ હું પ્રતિષ્ઠા કરી શકું.' [૯] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy