SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રસ નાયકે. - યદ્યપિ રાસનાયક તરીકે રાસના નામ સાથે વિજયતિલકરિનું નામ કવિએ જોયું છે, પરંતુ રાસનો વિષય તપાસતાં રાસનાયક તરીકે એકલા વિજયતિલકસૂરિજ નથી રહ્યા, પરંતુ તે શતાબ્દિના બીજા મહાન પુરૂષે પણ ખાસ નાયક તરીકે જ જોડાયા છે, એ સ્પષ્ટ જોવાય છે. બકે ખરી રીતે કહીએ તે વિજયતિલકસૂરિને ગૌણતા મળી ગઈ છે. મહારી દૃષ્ટિએ રાસનાયક તરીકે ચોક્કસ વ્યક્તિ કે વ્યક્તિઓ નહિં, પણ બે પક્ષોજ છે. વિજયપક્ષ અને સાગરપક્ષ. ચર્ચિત વિષયની શરૂઆતમાં વિજયપક્ષનું નાયકપણું ગચ્છાધિરાજ શ્રીવિજયદાનસૂરિએ લીધેલું છે, હારે સાગરપક્ષનું નાયકપણું લીધું છે ઉપાધ્યાય શ્રીધર્મસાગરજીએ. તે પછી એક તરફ ગચ્છનાયક જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિ અને બીજી તરફ ઉપાધ્યાય ધર્મસાગરજ હતા. આ બન્નેના સ્વર્ગવાસ પછી એક તરફ ગચ્છનાયક વિજયસેનસૂરિ અને બીજી તરફ ઉપાધ્યાય નેમિસાગર અને ભક્તિસાગરજી હતા. આમ સમયના વહેવા સાથે એક પછી એક વ્યક્તિઓએ પોતપોતાના પક્ષનું સમર્થન કરવાને કમર કસી હતી. તેમ છતાં પણ સમુદાયને એકને એકજ લાંબાકાળ સુધી કાયમ રહ્યો હતો. એટલે કે ગચ્છનાયકની આજ્ઞાઓ તો બધાએ-સાગર-વિજ્ય બન્ને-માનતા હતા. પરંતુ હારે વિજ્યદેવસૂરિને ગચ્છનાયક તરીકે નહિં માની કેટલાક ઉપાધ્યાયોએ વિજયતિલકસૂરિને ગ૭પતિ તરીકે સ્થાપન કર્યા, ત્યહારથીજ નપાગચ્છનું વિશાળ ક્ષેત્ર ખુલ્લી રીતે બે વિભાગોમાં વહેંચાઈ ગયું હતું. વિષય, યદ્યપિ રાસકાર કવિએ આ સસ રચવાનાં પાંચ કારણે બતાવ્યાં છે, (જુઓ રાસસાર. પૃ. ૨) પરંતુ રાસનો વિષય તપાસતાં આખા રાસમાં પ્રધાન વિષય તપાગચ્છમાં પડી ગયેલા બે પક્ષોની ચર્ચાને જ ઉલ્લેખવામાં આવ્યો છે. અને તેથી બાકીનાં ચાર કારણે, જે કવિએ બતાવ્યા છે તે, એટલાં બધા તે ગૌણુ થઈ ગયાં છે કે-આખા રાસમાં પ્રારંભથી લઈ છેવટ સુધી ચર્ચાનોજ વિષય ઉપર તરી આવે છે. આ ઉપરથી એ ખુલ્લું થાય છે કે આ રાસ રચવાનો કવિનો ઇરાદેજ કેવળ તે વખતની આખી ચર્ચા “અથ” થી “ઇતિ’ સુધી લિપિબદ્ધ કરવાને હવે જોઈએ. જે કે-આવા વિષયો પુસ્તકરૂપે આલેખવા અને તેને પ્રગટ કરવાનું કેટલાકે પસંદ નહિં કરતા હોય, પરંતુ ઇતિહાસની દૃષ્ટિએ આવા ઈતિહાસ પણ લખવા અને પ્રકટ કરવા, એ ભવિષ્યમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy