SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મારે આટલી બધી ખટપટ શા માટે જોઈએ? શા માટે સમાજની અશાન્તિમાં હારે ભાગ લેવા જોઈએ, એમ વિચાર કરી આપસમાં સંધી કરવાને માટે તેમણે ધર્મવિજયજી વાચકને એકાંતમાં બોલાવ્યા, અને કહ્યું કે – સાગરને દૂર કર્યા છે. હવે હમે શા માટે નથી આવતા? ધર્મવિજયજીએ કહ્યું–જે આપ કહે છે તે પ્રમાણે હવે એકતા કરવી હોય, તો આપ કઈ પણ કામ સૈની સલાહથી કરશે, તે બધાઓનાં ચિત્ત મળેલાં રહેશે.' વિજયદેવસૂરિએ કહ્યું–‘ભલે હુને હેમાં કંઇ હરત નથી. આપણે સૈની સલાહથીજ કામ કરીશું, પરંતુ આપણે આ સમુદાય મારા હાથમાં રહેવા જોઈએ.' મોંઢાની ઉંચી ઉંચી વાતે ઉપરજ લેકે મેહિત થાય છે. - સ્તુતઃ મનુષ્યના હૃદયની એકાએક ખબર પડતી નથી. વિજયદેવસૂરિના મનમાં હતું કે–એક વખત નવા આચાર્યને અલગ કરી આખે સમુદાય મ્હારા કબજામાં લઈ લઉં. પછી કેણ એના પક્ષમાં થનાર છે? વિજયદેવસૂરિના હૃદયની આ વાતને ધર્મવિજયજી ન સમજી શક્યા. તેઓ તે પોતાના સરળ પરિણામથી આપસમાં એકતા-પ્રેમ કરાવવાના કાર્યમાં જ લાગી ગયા. જો કે કેટલાક સાધુઓએ શંકાએ કરી કે–એકદમ તેમને વિશ્વાસ કરવા જેવું નથી. સાગરની દાંભિતા તેમના હૃદયમાં પણ ઉતરી છે, ” છતાં હેમણે સાગરને હવે દુર કરેલ છે, વિગેરે કેટલુંક સમજાવી નકકી કર્યું. તે પછી તેજપાલને હેમણે તેડાવ્યો. શત્રુંજ્યની યાત્રાના નિમિત્તથી તે આવ્યું. ગુરૂને વંદણ કરી તેજપાલની સમક્ષ એકતાને એક પત્ર લખવામાં આવ્યું, તેજપાલના યાત્રા કરીને આવ્યા પછી એક લેખ લખે, જેની અંદર લખવામાં આવ્યું કે– હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિએ જહે હે પટા કર્યા છે તે પટાઓને હે નહિ માને હેને ગચ્છથી દૂર કરવામાં આવશે. [ ૮૪ ] For Private & Personal Use Only Jain Education International 2010_05 www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy