SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયાનંદસૂરિને વિહાર. વિજયતિલકસૂરિએ આપેલી શિખામણે સ્મરણમાં રાખીને વિજયાનંદસૂરિ રામાનુગ્રામ વિચારવા લાગ્યા. અને શુદ્ધ દેશના આપવા લાગ્યા. તેઓ વિચરતા વિચરતા મેવાડમાં આવ્યા. મેવાડમાં પણ હેમણે ઘણે ઉપદેશ આપે. હેમના ઉપદેશમાં ખાસ કરીને સાગરમતથી વિરૂદ્ધની બાબતે મુખ્ય રહેતી. હેમની દેશનાથી ઘણા પ્રાણિ સમકિત પામ્યા. કેટલાક દઢ મનવાળા થયા અને કેટલાકેએ કુમતને છોડી દીધું. કેટલાકેએ દીક્ષા લીધી અને કેટલાકે દાનશીલ–તપ–ભાવરૂપ ચતુવિધ ધર્મની આરાધનામાં તત્પર થયા. આ વખતે હેમની સાથે મેઘવિજય વાચક,નંદિવિજય વાચક, ધનવિજય ઉપાધ્યાય, દેવવિજય વાચક, વિજયરાજ વાચક, દયાવિજય વાચક, ધર્મવિજય વાચક અને સિદ્ધિચંદ્રજી વાચક એમ આઠ વાચકે અને બીજા કેટલાક પંડિત, જેઓ વાદ કરવામાં બહાદુર હતા, તે રહેતા હતા. પ્રસ્તુત રાસના પ્રથમ અધિકારને ઉપસંહાર કરતાં કવિએ જણાવ્યું છે કે – સંવત્ ૧૬૭૩ પિષ શુદિ ૧રને બુધવારના દિવસે વિયેતિલકસૂરિને આચાર્યપદ મળ્યું હતું અને સં. ૧૮૭૬ના પોષ સુદિ ૧૩ના દિવસે હેમના પધર વિજયાનંદસૂરિની આચાર્યપદવી થઈ હતી. તે પછી કર્તા ૧૫૩૨ મી કડીમાં પિતાને પરિચય આપી ૧૫૩૩ અને ૧૫૩૪ મી કડિયામાં રાસને પ્રથમ અધિકાર પૂરે કર્યા સંવત્ બતાવે છે. આ છેલ્લી કડિયામાંથી નીચેની હકીક્ત પ્રકટ થાય છે. રાજવિમલના શિષ્ય મુનિવિજય ઉપાધ્યાય, જેઓ વીસનગરના રહીશ હતા, અને જહેમના પિતાનું નામ કેશવશા અને માતાનું નામ માઈ હતું, હેમના શિષ્યદર્શનવિજયજી એ આ રાસને પ્રથમ અધિકાર સં. ૧૬૭ના માગશર વદિ ૮ રવિવારના દિવસે બુરહાનપુરમાં બિરાજમાન શ્રીમનમેહન પાર્શ્વનાથના પસાયથી પૂરો કર્યો. ૧૧ [ ૮૧ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy