SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ સાથે આવ્યા હતા. એમ અનેક ગીતાર્થો સાગરમતને ત્યાગ કરી હેમને આવી મળ્યા. પછી શુભ મુહૂતે વિજયતિલકસૂરિએ ઘણુઓને પદવીઓ આપી. મુનિવિજયના શિષ્ય દેવવિજયપંડિત, વિમલહર્ષ વાચકના મુનિવિમલ, હીરવિજયસૂરિના શિષ્ય દયાવિજય, એ વિગેરેને વાચક પદ આપ્યાં. ઘણું પ્રતિપક્ષિતે વિષયમાં અનેક વાતે કરતા. કેટલાકે એમ પણ બોલતા કે જેણે, શું કર્યું છે? અસ્તુ આચાર્યપદની સ્થાપના. આ પછી વિજયતિલકસૂરિએ પિતાનું ટૂંકુ આયુષ્ય જાણું સંઘને પૂછીને નવા આચાર્ય સ્થાપવાનો વિચાર કર્યો. અને રાજનગરથી સેમવિજયવાચકના શિષ્ય કમલવિજયજીને તેડાવ્યા, અને તેઓને સં. ૧૬૭૬ ના પિષ સુદિ ૧૩ ના દિવસે આચાર્ય પદ પર સ્થાપના કરી વિજયાનંદસૂરિ નામ આપ્યું. તે વખતે વિજયતિલકસૂરિએ હેમને શિખામણ આપતાં કહ્યું – - “વરપ્રભુની પરંપરામાં હીરવિજયસૂરિ આવેલા છે, હેમની પાટે વિજયસેનસૂરિ થયા, તેઓએ જહેમ હીરપરંપરા આરાધી છે, હેવી રીતે હેમે પણ આરાધજે. વળી જેઓ ગચ્છની પરંપરાના લોપી હતા તેઓ ગચ્છથી અલગ થઈ ગયા છે, હવે હમે આ સમુદાય જહેમ સુખથી સંયમન નિર્વાહ કરે, હેવી રીતે વ્યવસ્થા રાખશે અને તપગચ્છની મર્યાદાને સારી રીતે પળાવજે. વળી કેઈને વિદ્યા આપો તે પણ સુપાત્રતાની પરીક્ષા કરીને જ આપજે. કેમકે કુપાત્રમાં પડેલી વિદ્યા બહુ દુ:ખદાયક થઈ પડે છે.” આ વાત ઉપર એક બ્રાહ્મણના બે પુત્રની કથા પણ કહી સંભળાવી. પછી બધાઓની સમંતિ લઈને વિજયતિલકસૂરિએ અણુસણું કર્યું વિજયતિલકસૂરિને સ્વર્ગવાસ. વિજયતિલકસૂરિએ પિતાના દરેક પ્રમાદની આલોચના કરી. અને અણસણ કરી નવકારમંત્રનું ધ્યાન કરવા લાગ્યા, છેવટ સં. ૧૬૭૬ ના પિશ સુદિ ૧૪ ના દિવસે ચઢતા દિવસે હેમને સ્વર્ગવાસ થયે, વિજયતિલકસૂરિના નિર્વાણથી વિજ્યાનંદસૂરિને ઘણે શેક થયે. [[ ૮૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy