SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જહાંગીર અને ભાનુચંદ્ર હવે વિજયતિલકસૂરિ ગ૭ની સંભાળ રાખવા લાગ્યા, વિજયતિલકસૂરિના આદેશથી નંદિવિજય ઉપાધ્યાય માળવામાં ગયા અને ત્યાં માંડવમાં રહ્યા. અહીં ભૂપતિ સાથે હેમને સારે સંબંધ થયું. રાજાએ પણ હેમનો સાર સત્કાર કર્યો. આ વખતે અહિં જહાંગીર બાદશાહ હતે. જહાંગીર બાદશાહે કહ્યું – " आपके मिलनेसे मुझे आनंद हुआ है। आपके देखनेसे मुझे भानुचंद्रजी याद आते है, अगर उनको यहां बुलावें तो बहुत શ્રાનં છે. ” અહિંથી બે મેવડા બાદશાહનું ફરમાન પત્ર લઈને અમદાવાદ આવ્યા. અમદાવાદમાં મકરૂબખાનને તે પત્ર આપ્યો. આ પત્ર વાંચી તેઓ ગુરૂ (વિજયતિલકસૂરિ) પાસે આવ્યા. આ વખતે ભાનુચંદ્ર જી રેલીમાં હતા. ત્યહાંથી ભાનુચંદ્રજીને બોલાવ્યા અને હેમના સ્થાનમાં ધર્મવિજયજી વાચકને મોકલ્યા. તેજપાલ મહેતા ઘણું ખુશી થયા. ભાનુચંદ્રજીએ તે દેશ ધર્મવિજયજીને ભળાવી દીધે અને પતે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં વિજયતિલકસૂરિએ હેમને સારૂં માન આપ્યું. મકરૂબખાન આવી મળ્યા અને “આપને બાદશાહ જહાંગીર બોલાવે છે એવા સમાચાર આપ્યા. તે પછી હેમણે હાંથી વિહાર કર્યો અને શીધ્ર માંડવ આવી પહોંચ્યા. બાદશાહને મળ્યા. બાદશાહને બહુ આનંદ થયે. બાદશાહે કહ્યું–મારે પુત્ર शहरयारको आप हमेशां धर्मकी तालीम दीजिए, जैसे पहेले हमारे पिता आपके पास सुनते थे । भानुचंद्रजी! आप पर हमारा स्नेह बहुत है। आप, मेरे लायक अगर જો શા દો તો ”િ ભાનચંદ્રએ કહ્યું-“આપના પિતાજીની પાસે હીરવિજયસૂરિ આવ્યા હતા. જહેમને “જગદ્દગુરૂના પદુથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. તે પછી વિજયસેનસૂરિ થયા, હેમણે [ ૭૪ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy