SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગચ્છ પરપરા રાખવાને આ પ્રમાણે કરવામાં કઇ દેષ નથી. એમ વિચારી સ ંઘે દરેકની અનુમતિ લેવાના ઠરાવ કર્યાં. સૂરત, ખંભાત, મુરાનપુર, અને શીરાહી વગેરે તમામ સ્થળેથી અનુમતિના પત્રા મંગાવી લીધા. પછી રાજનગરના સંઘ, નદિવિજય ઉપાધ્યાય, સિદ્ધિચંદ્ર પડિત વિગેરે બધાએાએ મળી સાવિજય વાચકને પ્રાર્થના કરી કે હીરપરંપરા રાખવાને માટે આપણે આચાર્ય સ્થાપવા જોઇએ. ’સામવિજયજી વાચકે વિચાર્યું કે— ‘હવે ‘હા’ ‘ના’ કાની ન કરવી જોઇએ. સંઘને તીથ કર પણ પ્રણામ કરે છે. તે સ ંઘનું વચન રાખવુ. ' એમ વિચારી હેમણે પશુ સમ્મતિ આપી. એક દર સામવિજય ઉપાધ્યાય, નદિવિજયજી ઉપાધ્યાય, ખંભાતમાં રહેલ મેજિય ઉપાધ્યાય, વિજયરાજ વાચક, ધર્મવિજય ઉપાધ્યાય, ભાનુચદ્ર ઉપાધ્યાય, સિદ્ધિચંદ્રજી કવિ વિગેરે તમામની એક સમ્મતિ થઇ ગઇ, તે ઉપરાન્ત ઠેકાણે ઠેકાણેથી સાધુઓના સન્મતિ પત્ર પણ મંગાવ્યા, તદનન્તર વડશાખાના વિજયસુંદરસૂરિની પાસે રામવિજય પંડિતને પાષ શુદ્ધિ ૧૨ ને બુધવારના દિવસે વિજય મુહૂર્ત માં આચાર્ય પદવી અપાવી અને વિજયસેનસૂરિની પાટ ઉપર સ્થાપન કરી હેમતુ વિજયતિલકસૂરિ નામ આપ્યું. આ વખતે સિદ્ધિચદ્રજીને વાચકપદ આપ્યું. સ ંઘે મ્હાટા ઉત્સવ કર્યો, ચતુર્વિધ સંઘ એકઠા થયા, મકરૂખખાનના માણસે પણ સાથે આવ્યા, મ્હોટા મ્હાટા હાથી અને ધાડા શણુગાર્યો. અનેક પ્રકારનાં વાજિંત્ર, છડી, ચામરા વિગેરે ધૂમધામ સહિત ગુરૂ શિકદરપુરમાં આવ્યા. અહિં, હેમણે ઉપદેશ આપ્યા, સાવિજય વાચકે અહિં ત્લેમને વંદણા કરી, પછી વિજયતિલકસૂરિના શહેરમાં પ્રવેશ કરાવ્યા. સેાના રૂપાનાં નાણાંથી શ્રાવકાએ પૂજા કરી અને બીજી પણ ઘણું ધન ખરચ્યું. ઇત્યાદિ અનેક પ્રકારના ઠેકાણે ઠેકાણે ઉત્સવા થયા, તે પછી ધનવિજય પંડિતને વાચકપદ આપ્યું, એ પ્રમાણે આઠ વાચકા થયા. સમસ્ત તપાગચ્છના અનુયાયીયા એકઠા થયા. અને પછી દેશદેશમાં આદેશ પત્રા મેાકલાવી દીધાં. [ 193 ] ૧૦ Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy