SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વક રહેતા હતા. હેમનું ઉગ્ર ચારિત્ર હતું. અને શુદ્ધ સહણ રાખતા હતા. વળી સેમવિજય વાચક, પંડિત હંસવિજય, વેલેષિ, એવા એવા હેટા પુરૂષના ઉપર પણ હેણે દેષ દીધો, વળી એક બીજું પણ કરતૂત કર્યું, તે એ કે–સૂરતમાં બહુશ્રુત ધનહર્ષ પંડિત વિદ્યમાન હતા, છતાં માસુ વિરાધીને તાપી નદી ઉતરીને રાનેરથી સાગરના સાધુઓ પજુસણ ઉપર સૂરત આવ્યા, અને તે લેકેએ વ્યાખ્યાન જૂદુ કર્યું. આ સિવાય હેમણે કાગળે પણ ઘણે સ્થળે લખ્યા, હેમાં એક કાગળ બુરાનપુર જસસાગર ઉપર લખે, હેમાં લખ્યું કે–“હુએ ડરે નહિં, વિજયપક્ષમાં હે હે ભળ્યા હોય, તે અમારાથી જુદા થયા સમજવા, હમે સંઘને હમારા હાથમાં કરી લે, તેઓની સાથે મળવા દેશે નહિં. વળી કઈ વખતે તેઓને પાછું સ્થાન અને અન્ન પણ આપવું નહિં.” એવું એવું ઘણું લખ્યું હતું. આ લેખ લઈને હે માણસ આવ્યા હતા, હેણે તો તે પત્ર લાલજીના હાથમાં આપે. અને દર્શનવિજ્યજીએ લાલજીના હાથમાંથી લઈ લીધે. આ પત્ર દર્શનવિજયજીએ વાચકને આપે. હે વાંચે, તે હેમાં અનેક દુ:ખદાયક બાબતે લખી હતી. આ પત્રની નકલ કરીને હાં યહાં મેકલવા લાયક હતી, હાં હાં મોકલાવી. અમદાવાદના કાળુપુરના મનજીશાહ અહિં આવ્યા હતા, તેની સાથે એક નકલ સેમવિજયવાચકને આપવા મેકલી. સેમવિજયવાચકે તે વાંચી. હેમણે ઝટ સંઘને એકઠા કરાખ્યું. અને તે કાગળ વંચાવ્યા. દરેકના મનમાં વિજયદેવસૂરિ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થયા અને દરેકને નિશ્ચય થયું કે-હવે આનાથી કંઈ લીલું થાય. તેમ નથી. અમદાવાદના સંઘનું આન્દોલન. અમદાવાદના સંઘે આથી ઉશ્કેરાઈ જઈ વિજ્યદેવસૂરિ ઉપર [ ૬૬ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy