________________
એક પત્ર લખ્યો. હેમાં લખ્યું કે- આપ અહિં પધારે, અથવા તે સેમવિજયવાચક પાટણ પધારે ” વિજયદેવસૂરિએ વળતો જવાબ આપે કે હને આવવામાં શુકન સારા થતા નથી, તેમ વાચકે અહિં આવવાનું પણ કાંઈ કામ નથી. માટે જહેમ મનમાં આવે, તેમ કરશે.” અમદાવાદના સંઘે એક પત્ર ખંભાતના સંઘ ઉપર લખે, હેમાં લખ્યું કે–“જે ગુરૂઆશા ઉત્થાપિને સાગરને લેશે તે અપકીર્તિ થશે. માટે હવે તે અમદાવાદ આવી, વાચકને સમજાવી, સાગર પાસે મિચ્છામિ દુક્કડ દેવરાવી કપટ રહિતપણે કલેશ ટાળ, તે તે સારૂં થશે, નહિં તે પછી ત્વમે હમારું જાણે. ઠીક નહિં થાય.”
આમણે વળતે ઉત્તર આપતાં લખ્યું “હે કરવું હતું, તે કરી દીધું છે. હવે હમારે હે કરવું હોય તે કરે.” મેઘવિજય ઉપાધ્યાયે પણ એક પત્ર લખ્યો કે– હમે આવીને ગુરૂઆવ્યું પળા, જેથી પાપ દૂર થાય. ” હેમને પણ ઉપરનેજ જવાબ આપ્યો. ઘણું ઘણું સમજાવવા છતાં વિજયદેવસૂરિ એકના બે ન થયા. આવા પ્રસંગમાં વળી એક બીજી હકીક્ત આ પ્રમાણે બની– દુષ્ટ પ્રયત્નમાં નિષ્ફળતા.
બાદશાહનું ફરમાન લઈને મકરૂબખાન ગુજરાતમાં આવતે હતો, હારે તે જાલેરમાં આવે, હારે હાં હેને ભાનુચંદ્ર ઉપાધ્યાયની સાથે મુલાકાત થઈ. મકરૂબખાને ઘણુ માનપૂર્વક તેમને પૂછ્યું કે–હારા લાયક કંઈ કામ હોય તે ફરમાવે. વાચકે– હીરવિજયસૂરિના વચને ઉત્થાપીને સાગરે અમને દુ:ખદાયી થયા છે. હૈમાં વળી વિજયદેવસૂરિ તેઓને મળી ગયા અને અલગજ બધું માંડયું. તે વિજયદેવસૂરિની હેમને સહાયતા મળવાથી હવે તેઓ ખુલલ ખુલ્લાં હરસૂરિનાં વચનને ઉત્થાપીને આખા ગચ્છને ભાડે છે. ” આ સાંભળી મકરૂખખાને કહ્યું:–“સિદ્ધિચંદ્રજી જે હારી સાથે
[ ૬૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
WWW.jainelibrary.org