________________
“હીરવિજયસૂરિજીની સમક્ષ ઘણા ગામના સંઘની રૂબરૂમાં બારબલ અને બીજી કેટલીએક શાસ્ત્ર વિરૂદ્ધ કરેલી પ્રરૂપણાઓ માટે સાગરે માફી માગી મિચ્છામિલ્કડ દીધો હતે. હેને અ૫લાપ કરીને પણ પાછા સાગરે “સર્વજ્ઞશતક' ગ્રંથ બનાવ્યો હતો. તે પણ શાસ્ત્ર વિરૂદ્ધ હેવાથી વિજયસેનસૂરિએ હેમને દૂર કર્યા અને સર્વશતક” ગ્રંથને અપ્રમાણુ કર્યો, તે સૌ કોઈ જાણે જ છે, માટે હે કે તે ગ્રંથને વાંચશે, વંચાવશે, તે ગુરૂની આણ બહાર ગણવામાં આવશે. વળી તે ગ્રંથના લીધે સાગરને પણ દૂર કર્યા છે, માટે તેઓને પણ કેઈએ આદર આપ નહિં, અને જહે કેઈ તેઓની સાથે આહાર પાણી કરશે, અથવા-કેઈ જાતને વ્યવહાર રાખશે, તે પણ ગચ્છથી અલગજ સમજવામાં આવશે. વિજયદેવસૂરિએ તે સાગરને ગ્રહણક્ય છે, માટે હેમને પણ ગચ્છથી બહાર કરવામાં આવે છે. હેમણે પોતાના ગુરૂની મર્યાદા લેપી છે, તે માટે સુવિહિત સાધુઓને એ મત છે કે-સાગરે અને સાગરને આશ્રય આપનારાઓ સાથે અમારે કોઈ જાતને સંબંધ નથી. અગર સાગરપક્ષવાળા ગુરૂનું વચન માને, તે તે અમારી સાથે ભળે. વિજયદેવસૂરિએ પણ તેઓને લીધેલા હોવાથી અમે હેમને પણ વાંદીશું નહિં. જે તેઓ સાગરને ગુરૂની આજ્ઞા પળાવીને ભેગાલે તો ખુશીથી અમે હેમને વાદીએ.”
આ પ્રમાણેને ઠરાવ સમસ્ત સંઘે કર્યો, અને હેની નકલે કરી દરેક ગામો ઉપર મોકલી દીધી. એટલું જ નહિ પરંતુ દરેક ક્ષેત્રોમાં સાધુઓને આદેશ કરી દીધા, એટલે સાગરને કોઈ પેસવા દેતું નહિ.
નંદિવિજય વાચકે જાહેર કરી દીધું કે–“ હું ગુરૂવચનને માનવાવાળો છું, માટે જે ગુરૂવચનની આરાધના કરવા માગતી હોય તેઓ ખુશીથી હારી પાસે આવી જાઓ.” આથી સાગરે ઘણુજ રેશે ભરાયા અને તેથી હેમણે કોર્ટને અશશે લઈ હેમને નુકસાન પહોંચાડવાને ઈરાદો કર્યો.
[ ક ર ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org