SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છેવટે–શરમના લીધે સંઘે એ પ્રમાણે લખી આપ્યું કે-“વિજયદેવસૂરિ હે કહે, તે અમારે પ્રમાણ છે.” તે પછી સંઘ પાટણ ગયે. સૂરિજી મહેસાણે ગયા. અહિં અમદાવાદને સંઘ વાંદવા આ. વિજયદેવસૂરિએ વિચાર કર્યો કે આ લોકો ને ઘેરી લેશે. સાગને લેવા દેશે નહિં. અને મહારાથી કંઈ વિશેષ કહેવાશે પણ નહિં.”. એમ વિચારી શીધ્ર તેઓ ધીણેજ પહોંચ્યા. રાજનગરને સંઘ મનમાં વિચાર કરીને પાછો વ. વ્હારે વિજયદેવસૂરિ સાગર સંબંધી પોતાનું કાર્ય સિદ્ધ કરવાને પાટણ ગયા. ભક્તિસાગરનું અપમાન. વિજયદેવસૂરિએ પાટણમાં આવ્યા પછી સાગરને પાટણમાં બેલાવાને વિચાર કર્યો. હેમણે અમદાવાદથી નેમિસાગર અને ભક્તિસાગરને બેલાવા માટે ધનવિજયને મોકલ્યા. અમદાવાદમાં આવીને ધનવિજયજી પ્રથમજ સાગરને મળ્યા. અને કંઈ વાતચિત કરવાની હતી, તે કર્યા પછી સેમવિજય વાચકની પાસે આવી વંદણ કરી. વાચકજીએ કહ્યું –એવું શું કાર્ય છે કે એકાએક અહિં આવવું થયું ?” ધનવિજયે કહ્યું;“કંઈ કામ પ્રસંગે ખંભાત આવ્યે હતો, ત્યહાંથી અહિં આવ્યો છું.’ વાચકજીએ ફરી કહ્યું કે “હૂમે સમાચારીના સારા જાણવાવાળા છે, છતાં પોતાના ગુરૂએ જેઓને બહાર કાઢ્યા છે, તેઓને મળે છે, હેમને વંદન કરે છે અને એકાંતમાં વાત કરે છે, તે વ્યાજબી કહેવાય નહિં.’ ધનવિજયજીએ કહ્યું:–“હું આ બધું કાર્ય ગચ્છનાયકના આદેશથી કરૂં છું.” વાચકજીએ કહ્યું અમે હેમની આટલી બધી ખટપટ જાણતા નથી.” [ ૫૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy