SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી ધનવિજ્યજીએ નેમિસાગરને કેટલીક શિખામણ આપીને ખંભાત મોકલ્યા અને કહ્યું કે- હાં હમે પિતાના મતની પ્રરૂપણ કરે અને ગ્રંથને પણ સાચા કરે.”હારે ભક્તિસાગરને પિતાની સાથે પાટણ લાવ્યા. પાટણમાં હેમને બીજા ઉપાશ્રયમાં ઉતાર્યા. વિજયદેવસૂરિ સિવાયના બીજા મુનિ અને શ્રાવકે હેમની પાસે જવા-આવવા લાગ્યા અને દરેક હેમની પ્રરૂપણું સાંભળવા લાગ્યા. તેમાં હેમનું ગાયુ ગાવા પણ લાગ્યા. લોકેના મુખથી આ હકીકત: સાંભળીને રામવિજય વાચકે ખંભાતથી નદિવિજય વાચકને પોતાની પાસે બોલાવ્યા. અને તેઓને પાટણ જઈ વિજયદેવસૂરિની સેવા કરવા જશુવ્યું. સાથે સાથે એ પણ કહ્યું કે – હૂમે ગુરૂનાં વચન પળાવવામાં લગારે કચાશ રાખશે નહિં.’ નંદિવિજય વાચકની સાથે કેટલાક ગુરૂભક્ત મુનિને પણ મેકલ્યા. હારે નંદિવિજય વાચક હબદપુર પહોંચ્યા, ત્યારે વિજયદેવસૂરિના કેટલાક સાધુઓ અને શ્રાવકે વાંદવા માટે આવ્યા. નંદિવિજયજીએ તેઓને કહ્યું—“વિજયસેનસૂરિએ જેઓને ગ૭અહાર કર્યા છે, તેઓને હૃમે સ્થાન કેમ આપ્યું?” શ્રાવકેએ કહ્યું – “ગુરૂના વચનથી.” નંદિવિજ્યજીએ કહ્યું –“ હેમણે પણ ગુરૂનું વચન માન્યું નથી.” શ્રાવકે ઝટ પાટણ પહોંચ્યા અને ભક્તિસાગરને ઉપાશ્રયથી બહાર કાઢ્યા. તેઓએ કોઈના ઘરમાં જઈને ઉતારે કર્યો. હેમનું ઘણું અપમાન થયું. તે પછી તેઓ અમદાવાદ આવ્યા, અને બધી વાત શાન્ત પડી ગઈ. સાગરમતની ખુલ્લી પ્રરૂપણું, તે પછી નંદિવિજ્ય વાચક ધૂમધામ પૂર્વક પાટણમાં આવ્યા. [ ૫૪ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy