________________
વિજયદેવસૂરિની કબૂલાત.
આ પછી સામવિજ્યવાચકે ઘણા વિચાર પૂર્વક વિજયદેવસૂરિ ઉપર વીસલનગર એક પત્ર લખ્યું. હેમાંશ્રીવિજયસેનસૂરિ ના કાળ કર્યાની હકીકત લખવા ઉપરાન્ત એ પણ લખ્યું કે- આપે હવે બધાઓની સાથે પ્રેમ દાખવો જોઈએ છે. અમે આપની આજ્ઞા પાળવાને તૈયાર છીએ. અમારે બીજાનું કંઈ કામ નથી. વળી આપ ગુરૂનું વચન જે પળાવ, તો આપની ઘણું કીર્તિ વધશે.”
આના જવાબમાં વિજયદેવસૂરિએ લખ્યું “ગુરૂવચન તે સાચા જ છે. અને અમે તે સારી રીતે પળાવીશું.'
વિજયદેવસૂરિને આ પત્ર વાંચીને બધો સાધુસમુદાય આનંદિત થે. પરંતુ હેમના આંતરિક વિચાર તો જાણે જ ? હેમના મનમાં તો વળી બીજે જ વિચાર હતે. વિજયદેવસૂરિને પાટણમાં પ્રવેશ
માસુ ઉતરતાં પાટણના સંઘે વિજયદેવસૂરિને પાટણ પધારવા માટે વિનતિ કરી. આ વખતે વિજયદેવસૂરિએ સંઘને કહ્યું કે-હું કહું તે પ્રમાણે પાટણને સંઘ કરે, તો હું ત્યહાં આવું.'પાટણના અબજી શ્રાવકે કહ્યું -“આપને એવું શું કાર્ય છે?સૂરિજીએ કહ્યું:કઈ પણ પ્રકારનું મત કરાવ્યા કે મિચ્છાદુક્કડ દેવરાવ્યા સિવાય, સાગરેને ગચ્છમાં લઈ લેવા. અને તેમ કરવાથી જ મ્હારી લાજ રહી શકે તેમ છે.”
અબજીએ કહ્યું-“મહારાજ! આખે સંઘ એ પ્રમાણે કેમ કબૂલ કરશે?”
સૂરિજીએ કહ્યું:–“જે કે તે કાર્ય છે કઠિણ, પરતુ હારે તે તે કર્યો જ છુટકારે છે.”
[ પર !
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org