________________
નંદિવિજયવાચકે કહ્યું --“મહારાજ! સેમવિજયવાચક અહિં છે નહિં, તેઓને પૂછડ્યા વિના એ પ્રમાણે કેમ થઈ શકે? માટે આપ નિશ્ચિત રહો અને જે તે (વિજયદેવસૂરિ) નહિં માને, તે અમે બીજે આચાર્ય સ્થાપન કરશું, કે હેથી કરીને તમામ વાત શાન્ત થઈ
જશે.”
ગુરૂએ કહ્યું – “વ્હારે આદેશ છે કે-હેમે જરૂર બીજે આચાર્ય સ્થાપન કરજો. અને એ પ્રમાણે કરશે, તેજ ગચ્છનું બંધારણ ઠીક રહી શકશે. અન્યથા તે હૃમારે જો લગારે રહી શકશે નહિં.”
વાચકે કહ્યું – “આપ હવે તે દુ:ખને દૂર કરે. અને તે સંબંધી બધા ઉપચાર થઈ જશે.”
ગુરૂએ ચિત્તને સ્થિર કરી નવકારમંત્રનું સ્મરણ શરૂ કર્યું. અને ચાર શરણપૂર્વક અરિહંતપદને જાપ કરતાં કરતાં એકાએક અમરપુરીને શોભાવી દીધી.
બીજી તરફ પ્રાતઃકાલમાં તે ખંભાતને સંઘ સામૈયું લઈને ગામ બહાર આવ્યું હતું. હેણે ગુરૂના કાળ કર્યાના એકાએક સમાચાર સાંભળ્યા. આખા સંઘમાં હાહાકાર થઈ ગયે. દરેક આબાલવૃદ્ધ ગુરૂ વિરહથી અત્યન્ત દુ:ખી થયા. નંદિવિજ્ય વાચક વિગેરે સાધુઓએ પણ ગુરૂ ગુણેને યાદ કરી ઘણું દુ:ખ ધારણ કર્યું. તે પછી સંઘે ઉત્તમત્તમ શિબિકા બનાવીને હેમાં ગુરૂને બેસારી સૂખડ, અગર વિગેરે સુગંધિત પદાર્થોથી ગુરૂને અગ્નિસંસ્કાર કર્યો. આ વખતે ગુરૂની પૂજામાં આઠહજાર મહમુંદી એકઠી થઈ હતી. વળી સૂરિજીના અગ્નિસંસ્કારવાળા સ્થાનકે સંઘે સ્તૂપ પણ સ્થાપન કર્યો. તે પછી પત્ર લખીને આ હકીકત અમદાવાદ સામવિજ્ય વાચકને જણાવી. હેમણે પણ ઘણેજ અફસોસ કર્યો. અને ગુરૂના ગુણેને યાદ કરી કરીને ઘણાજ વિલાપ કર્યો.
[ ૫૧ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org