SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પં. કમલવિજયરાસ. પંડિત કમળવિજયજીના શિષ્ય હેમવિજયગણિએ મહેસાણામાં પાર્શ્વનાથ પ્રભુના પસાથે પોતાના ગુરૂની સ્તુતિરૂપ આ રાસ ર છે. યદ્યપિ કવિએ આ રાસ રચ્યાને સંવત્ નથી આપે, પરંતુ રાસનાયક પં. કમલવિજયજીએ મહેસાણામાંજ સં. ૧૬૬૧ ના ૧ પં- હેમવિજ્યગણિ. એઓ વિક્રમની સત્તરમી શતાબ્દિના મહાન વિદ્વાનો અને કવિ પૈકીના એક થઈ ગયા છે. તેઓ તપાગચ્છની લક્ષ્મીભદ્રિીય શાખામાં થયા છે. જગદ્દગુરૂ હીરવિજયસૂરિ, અકબરના નિમંત્રણને માન આપી હારે બાદશાહના દરબારમાં ગયા, હારે આ વિદ્વાન પણ હેમની સાથેજ ગયા હતા. તે વખતના સુપ્રસિદ્ધ કવિ ષભદાસ તે વખતના ઉત્તમ કવિઓમાં આમનું નામ પણ ઉલ્લેખ છે. ઋષભદાસકવિ, કુમારપાલરાસ ’માં તે કવિઓનાં નામે આપતાં કથે છે – “હંસરાજ વાછે દેપાલ માલ હેમની બુદ્ધિ વિશાલ.” આજ કવિ પિતાના “હીરવિજયસૂરિ રાસના” પૃ. ૧૦૮ માં પણ કહે છે – હેમવિજય પંડિત વાચાલ કાવ્ય દુહામાં બુદ્ધિ વિશાળ” કવિ ઋષભદાસે કરેલી આ પ્રશંસા હેમની કૃતિયો પુરવાર કરી આપે છે. તેઓ સંસ્કૃતમાં કેવા પ્રખર વિદ્વાન હતા,એ જાણવાને હેમની આ કૃતિ પર્યાપ્ત છે પાર્શ્વનાથ ચરિત મહાકાવ્ય સં. ૧૬૩૨ ઋષભશતક (ખંભાતમાં) સં. ૧૬૫૬ કયારત્નાકાર સં. ૧૬૫૭ અન્યોક્તિમુક્તામહેદધિ. ( ૮૬). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy