SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારંભમાં કવિએ ચોવીસ તીર્થકર,વીસ વિહરમાન, ચાર શાશ્વતી પ્રતિમાની સ્તુતિ અને તે પછી ખાસ વીરપ્રભુએ ગૌતમસ્વામીને સંબોધી આપેલા ઉપદેશને પ્રસંગ હાથ ધર્યો છે. તદનન્તર ત્રીસમી કડીથી રાસને ઉદ્દેશ ઉલેખ્યો છે. પછી ૪૦ મી કડીથી સૂરિજીનું ચરિત્ર આ પ્રમાણે આરંભ્ય છેઃ ઇડર નગરમાં એસવાલ વંશીય મેઘજી શાહ અને હેના પત્ની માણિકય રહેતાં હતા. હેમને હાં સં. ૧૫૪૭ ના વર્ષમાં એક પુત્રને જન્મ થયે જહેનું નામ વાઘજી રાખવામાં આવ્યું. દિવસે દિવસે કુંવર વધવા લાગ્યા અને તે કપ્રિય થઈ પડ્યો, મ્હારે તે છ વર્ષને થયે, ત્યહારે તે ઈડરનગરમાં હેમવિમલસરિ નામક આચાર્ય આવ્યા. આ ગામના રાજા રાયાણ અને ઘણી કરતા. અકબર પ્રતિબંધક, “જગદ્ગુરૂ પદધારક પ્રભુ શ્રીહીરવિજયસૂર જેવા મહા પ્રતાપી આચાર્ય આજ મહાપુરૂષના શિષ્ય હતા. ૧ ઈડર-મહીકાંઠા એજન્સીમાં આવેલું આ ગામ અમદાવાદથી ઉત્તર પૂર્વમાં ૬૪ માઇલ ઉપર છે. અહિં લગભગ સાત હજાર માણસની વસ્તી છે. જેનોને માટે આ ગામ એક તીર્થ સમાન છે. કારણકે અહિંના ગઢ ઉપર બે વિશાળ જૈન મંદિરે છે, જહેમાંનું એક બિલકુલ જીર્ણ થયેલું ખાલી છે, અને બીજાને હમણાં જીર્ણોદ્ધાર થયો છે. પ્રાચીન તીર્થમાળાઓમાં અહિં શત્રુંજય અને ગિરિનારની સ્થાપના હોવાનો ઉલ્લેખ છે. કવિ શીલવિયજીએ પોતાની તીર્થમાળામાં ઈડરનાં મંદિરનું વર્ણન કરતાં લખ્યું છે – તિહાં થાયા સેગ્વજ ગિરિનારિ તે વંદુ હું અતિ સુકાર.” ૩૦ (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૂ. ૧૦૩ ) * પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં આ ઈડરને ચાર અને રાહુ વિગેરે નામથી ઉલ્લેખ કરે છે. વધુ માટે જૂઓ ઈડરગઢ ઉપરના મંદિરના છ દ્વાર સંબંધી બહાર પડેલે વિસ્તૃત રીપેટ. હેમાં ઈડર સંબંધી જાણવા જેવી ઐતિહાસિક માહિતીઓ સારી આપવામાં આવેલી છે. ૨ રાયભાણ એ રાડવંશીય રાજા પૂજાનો છોકરે થતો હતો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy