________________
પાટે સ્થાપન કર્યા, અને હેમનું જિનદયસરિ એવું નામ સ્થાપન કર્યું. - જિનદયસૂરિએ પાંચ પ્રતિષ્ઠા કરી. તેવીસ શિવે , ચાદ સાધ્વીઓ કરી. તે ઉપરાન્ત આચાર્ય, ઉપાધ્યાય અને વાચનાચાર્ય વિગેરેથી પોતાને સમુદાય વધાર્યો. તેમ ગંભીરતા, ધેર્ય,
૧ જ્ઞાનકલશ નામના કોઈ મુનિએ આ જિનદયસૂરિને પદસ્થાપના રાસ' બનાવ્યો છે. હેમાં કેવળ જિનદયસરિની પદસ્થાપનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં પ્રસ્તુત વિવાહલામાં આપેલા વર્ણન ઉપરાન્ત ખાસ એક વિશેષતા છે. તે એ કે આ પદસ્થાપનાને ઉત્સવ દિલ્લીના રહેવાસી રતનસિંહ અને નિગે ખંભાતમાં આવીને કર્યો હતો. આ રતનસિંહ અને પૂનિગની ઓળખાણ આમ આપી છે –
“ત મહિમંડલિ હિલિયનયર કંચણ ચણ વિસાલું; ત રૂપાલુ નીબઉ સધરે નિવસઈ તહિ શ્રીમાલ હ . તસુ નંદણુ બહુ ગુણકલિક સંધવાઈ રતનઉ સાહુ; ત સયલ મહેચ્છવ ધરિ ધવલે પૂનિગ મનિ ઉચ્છા. ૧૦ સુહગુરૂ વંદણ ખભપુરે દણ દુહિય સાધારૂ, ત રતનસીહ પૂનિગ સહિઉ આવઈ સપરીવારૂ. ૧૧
આ ઉપરથી જણાય છે કે–તેઓ શ્રીમાલવંશીય હતા. આ પદસ્થાપના રાસમાં એ પણ જણાવ્યું છે કે આ પદમહોત્સવ ખંભાતના અજિતનાથના મંદિરમાં કરવામાં આવ્યો હતો. આગળ ચાલતાં આ પદમહોત્સવ વખતે રત્ન સિંહ અને પૂનિગે કરેલા દાનનું વર્ણન કરવામાં આવ્યું છે.
રત્નસાગરના બીજા ભાગના પૃ. ૧૨૧ માં ખરતરગચ્છપદાવલીની ૫૪ મી પાટે થએલ આ જિનદયસૂરિનું વર્ણન આપવામાં આવ્યું છે. હેમાં પદમહોત્સવ કરનારનું નામ જેસલ આપ્યું છે; તે ઠીક નથી. પદમહોત્સવ કરનાર જેસલ નહિ પરંતુ દિલ્લીના રહીશ રત્નસીંહ અને પૂનિગ હતા, એ સ્પષ્ટ જોવાય છે.
. જે. કલૈંતિ “સ્પેસમેન ઑફ એ લીટરરી બિબ્લીઓ ગ્રાફિકલ જેન એનેમસ્ટેકન ” ના પે ૪૮ માં આપેલ જિનદયસુરિનું વૃત્તાન્ત એક
(૬૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org