SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જિનદયસુરિ વિવાહલું. વિક્રમની પંદરમી શતાબ્દિમાં થઈ ગયેલ આચાર્ય જિનેદયસરિનું આ વિવાહલું હેમનાજ શિષ્ય મેરૂનંદનગણિએ બનાવ્યું છે “હેમનાજ શિષ્ય” એમ કહેવામાં કવિનાજ શબ્દ પ્રમાણભૂત છે. શરૂઆતની બીજી કડીમાં કવિ કહે છે – “ ઈકયું જગ જુગપવરૂ અવરૂ નિયદિષ્મગુરૂ, યુણિસુ...નિયમઇબલેણ” આવી જ રીતે અન્તિમ કડીમાં પણ કવિ લખે છે – અ સે દિખગુરૂ દેઉ સુપસન્ની દંસણ નાણું ચારિત્ત શુદ્ધિ ” આ ઉપરથી ચોક્કસ જણાય છે કે જિનદયસૂરિ એ કર્તા ના દીક્ષાગુરૂ થતા હતા. કવિએ પ્રથમની કડીમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી જિનદયસૂરિને વીવાહલે બનાવવાની પિતાની ઉત્કંઠા બતાવી છે. પછી બીજી કડીમાં જિનદયસૂરિને પરિચય (યુગપ્રધાન અને પિતાના દીક્ષાગુરૂ ) આપી “નિયમઈબલેણુ” નિજમતિબલવડે કરીને ૧ આ મેરૂનંદનગણિ જિનદેવસૂરિના શિય થતા હતા. હેમણે ગુજરાતી ભાષામાં અજિતશાંતિસ્તવ બનાવેલું છે. આ ઉપાધ્યાયની એક મૂર્તિ, કે જેની પ્રતિષ્ઠા સં. ૧૪૬૯ માં જિનવર્ધનસૂરિએ કરી હતી, ઉદેપુરથી ૧૭ માઈલ ઉપર આવેલ દેલવાડાના એક મંદિરમાં છે. આ મૂર્તિ ઉપરનો લેખ “વિત્તજાર' નામના મારા નિબંધમાં આપ્યો છે. (૬૦) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy