SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ હવે નવા પટેર ઉદયસાગરસૂરિને પ્રતાપ વધવા લાગ્યો. પવિત્રતામાં બીજા ગેમ જેવા,વિદ્યામાં બીજા વજુકુમાર અને શીલ માં જંબુસ્વામી જેવા ઉદયસાગરસૂરિ વિધિગચ્છને દીપાવવા લાગ્યા. ગુરૂ સંઘ સાથે નવસારીની યાત્રાએ ગયા. વેણીશાહના સુત ખુશાલશાહે ત્યહાં સંઘ જમાડ્યો અને નવું તીર્થ પ્રકટ કર્યું. નવસારીના પણુ પારસીઓને કુરાન શરીફ (?) બતાવી, હેમને હિંસામાં પાપ હોવાનું સમજાવ્યું. આથી ઘણા લોકો તે વાતને સમજી ગયા અને બધા ખુશી થયા. અહિંથી બીજે કેટલેક સ્થાને વિહાર કર્યા પછી સુરતના ખુશાલશાહે શત્રુંજયને સંઘ કાઢવાનો નિશ્ચય કર્યો અને ગુરૂને સાથે પધારવા વિનતિ કરી. મંત્રી ગોડીદાસ, હેમના બં, જીવણ અને ધર્મચંદ્રશાહ પણ સંઘમાં શામેલ થયા. નર–નારીને હોટ સમૂહ સંઘમાં સાથે ચાલે. ધીમે ધીમે સંઘ શત્રુંજય આવ્યું અને પ્રભુનાં દર્શન કરીને કૃતાર્થ થયે. અહિં વિદ્યાસાગરસૂરિનાં પગલાંની સ્થાપના કરી. અને સંઘે ઘારું દ્રવ્ય ખરચીને અનેક પ્રકારની ભક્તિપૂર્વક યાત્રા કરી. વળી ઉદયસાગરસૂરિએ પાલીતાણાના શ્રાવકેને ઉપદેશ કરીને પિતાના રાગી કર્યા અને એક ઉપાશ્રય કરાવરાવી પિતાના સાધુઓને ચોમાસુ રાખ્યા. ઘણા કુમતિ લેકો અહિં પણ તેમની સાથે વાદ (૧) નવસારી, એ ઘણું જૂનું નગર છે. વિક્રમની તેરમી શતાબ્દિમાં થયેલ શ્રીજિનપતિસૂરિએ પોતાની તીર્થમાળામાં “શ્રી નવ્યસારપુરે' આ પ્રમાણેનો ઉલ્લેખ કરે છે. આવી જ રીતે આ નવસારીને પ્રાચીન ઘણું તીર્થમાળાઓમાં ઉલ્લેખ થયેલો જોવાય છે. જહેમ, શાલવિજયજીએ પિતાની તીર્થમાળામાં, વાચનાચાર્ય શ્રોમેરૂકીર્તિએ પિતાની તીર્થમાળામાં અને શ્રીવિનયવિજય ઉપાધ્યાયે પિતાની તીથ માળામાં નવસારીનું નામ ગણાવ્યું છે. વળી આ તીર્થમાળાઓમાં આવેલા ઉલ્લેખ ઉપરથી અહિંના “પાર્શ્વનાથની પ્રસિદ્ધિ હોવાનું જણાય છે. (જૂઓ. તીથમાળા સંગ્રહ ૫. ૧૨૧, કડી ૧૧૧, પૃ. ૧૪૪ કડી ૨૦, પૃ. ૧૯૪ કડી ૧૩. ) ( 8 ) For Private & Personal Use Only Jain Education International 2010_05 www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy