SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આથી સંઘ ઘણે ખુશી થશે. ગુરૂએ સુધર્માને વિદ્યાને ભંડાર સમગ્યે–વિદ્યાનો ભંડાર બનાવ્યું. આ પછી મુંડારામાં બારગોત્રે મળીને બદરીદેવીને પુન: આરાધી. દેવી સુધર્માના શરીરમાં અવતરી. હેના કપાળમાં તિલક કર્યું. કંઠમાં કુસુમની માળા નાખી, પછી દેવી સુધમનું યશેભદ્રસૂરિ નામ આપી વિમાન દ્વારા વિદાય થઈ. આ પછી શ્રીયશોભદ્રસૂરિએ, વિગને વિષયનો વિકાર કરનારી જાણું, છએ વિગ ત્યાગ કર્યો. અને હમેશાં કેવળ આઠ કવળને આહાર લેવાનું શરૂ કર્યું. યશોભદ્રસૂરિએ એ પ્રમાણે ઘણું કઠિણ અભિગ્રહો લેવાથી, તેમને ઘણા ઘણું અતિશયે પણ પ્રાપ્ત થયા. અહિંથી વિહાર કરી શ્રીયશોભદ્રસૂરિ પાલી આવ્યા. સૂરિ જીનું ઘણું ઉત્સાહ અને આડંબર સાથે સામૈયું થયું. પાલીમાં જે દિશા તરફ સૂરિજી, હમેશાં ઠંડિલ જતા હતા, તે દિશામાં એક સૂર્યનું મંદિર હતું. આચાર્યની તપસ્યા વિગેરે જેઈ સૂર્ય હમેશાં ગુરૂના ગુણ જપતો હતો. એક વખતે ગુરૂની પરીક્ષાને માટે સૂર્યો, રસ્તામાં મણિ–માણેકની માળા મૂકી. ૧ આ ઉપરથી સ્પષ્ટ સમજાયું કે-યશોભદ્રસૂરની આચાય પદવી મુંડામાં થઈ, પરંતુ મુનિસુદરસૂરિકૃત ‘૩રાતનાકાર’ ના પ૦ ૯૩ માં " पल्लीपुर्या श्रीयशोभद्रसूरेराचार्यपदावसरे यावज्जीवमष्ठाभिः कवलैराचाम्लं વિધેયમિર્ચામuહું સ્વીકૃતપૂર્વને............ .................." ઈત્યાદિ લખ્યું છે. એ વિચારણીય છે. પાલીમાં આચાર્યપદવી થયાનું ઉપદેશરત્નાકર' સિવાય અન્યત્ર જોવામાં આવતું નથી ૨ પ્રરતુત રાસમાં છ વિનયનો ત્યાગ અને આઠ કવળનો આહાર કરવાને અભિપ્રહ લેવાનું લખ્યું છે, મ્હારે “૩ારાત્નાકર છે અને સં. ૧૬૮૩માં લખાએલા સંસ્કૃત ચરિત્રમાં “ આઠકાળીયાનું આંબીત કરવું ' એ અભિગ્રહ કર્યાનું લખ્યું છે. (૨૪) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy