________________
અને ગિરિનાર તીર્થ જૈનોને પાછું મેંપ્યું.
- તે પછી સમસ્તસંઘ અને ઋષિ ગિરિનાર પર ચડ્યા. ને મીશ્વરભગવાનની યાત્રા કરી, ગિરિથી ઉતરીને સ્વામિવાત્સલ્ય વિગેરે કર્યા. તેમ ભાટ–ભેજક વિગેરેને દાન પણ દીધાં.
એક વખતે હારે સંઘપૂજાને સમય થયો, ત્યારે બલિભદ્ર નીચા આસને બેઠા. રાજાએ પૂછ્યું કે- આપનું આસન નીચું કેમ?” ઋષિજીએ જણાવ્યું કે-“ઉચે આસને તે જે સૂરિ હોય, તેજ બેસી શકે.” રાજાએ કહ્યું-“ હારે શું આપને સૂરિ. પદ નથી. જે હું આપને દેવરાવું.” શષિજીએ સાફ મના કરી કે- એ પ્રમાણે લેવાની અમારે આચાર નથી. તેથી ગચ્છનો વ્યવહાર લેપાઈ જાય છે. અલ્હારા ગુરૂ (સૂરિ) શાલિસૂરિ મારવાડમાં પાલી નગરમાં બિરાજે છે, તેમના આપ્યા સિવાય પદવી ગણાય નહિ.”
રાજાએ સાગ્રહ કહ્યું કે આપ અહારા સંતોષની ખાતર ગાદીનું આસન સ્વીકાર કરો.”
- બલિભદ્ર આસન સ્વીકાર્યું. પછી સંઘની સાથે બલિભદ્ર પાલી નગરમાં ગયા. ત્યાં ગાદીના આસને ડારે બેસવા લાગ્યા, ત્યારે પલીના શ્રાવકે અને સાધુઓએ ગાદી કાઢી નાખી અને હેમનું અપમાન કર્યું. તેથી બલભદ્ર ત્યડુાંથી રવાના થઈ નલ' ગયા. વળી તે વખતથી બલિભદ્ર શ્રાવકને ત્યાંથી આહાર લેવો પણ ત્યાગ કર્યો.
૧ નલ, આ ગામને અમારે નાડોલ કહેવામાં આવે છે, અને તે મારવાડમાં આવેલ રાણું ટેશનથી પાંચ ગાઉ થાય છે. મારવાડની પંચતીર્થી માંનું આ એક તીર્થ ગણાય છે. અહિં ખંડેરગચ્છી શ્રીશાલિભદ્રસૂરિએ, સં. ૧૧૮૧ના અશાડ શુદિ ૧૦ શુક્રવારના દિવસે, બહદમછીય શ્રીદવસૂરિના શિષ્ય પં. પદ્મચંદ્રગણિએ સં. ૧૨૧૫ના વૈશાખ સુદ ૧૦ ને સોમવારે, પંરકગીય શ્રીસુમતિસૂરિએ ૧૨૩૭ના ફાગણ સુદ ૨ ને મંગળવારે અને તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિએ સં. ૧૬૮૬ના પ્રથમ આશાડ વદિ ૧૫ ને શુક્રવારે, એમ જુદા જુદા આચાર્યોએ જુદા જુદા સમયમાં પ્રતિષ્ઠા કરેલી છે. કે જહેના લેખે અત્યારે મૌજૂદ છે. પહેલાં અહિ ચહૂણેનું રાજ્ય હતું, મ્હારે અત્યારે રાઠોડનું રાજ્ય છે.
[ ૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org