SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ બલિભદ્રની વાટ જોઈ રહ્યા હતે. પેલા માણસને એકલા આવેલા જોતાં, સંઘ ઝાંખો થઈ ગયો. તે પુરૂને પૂછ્યું કે-“ શ્રષિ શું ન મળ્યા? માણસોએ કહ્યું-ષિએ કહ્યું કે “હમારી પહેલાં પહોંચીશ.” સંઘે સર્વત્ર તપાસ કરી, ત્યહારે એક દેવાલયની અંદર ઋષિને જોયા. સંઘે રાષિને વિનતિ કરી. ત્યારે ત્રાષિએ કહ્યું – હમે ચિંતા કરશે નહિં, તીર્થને પાછું લઈ લઈશું, શ્વેતામ્બરમતને દીપાવીશું. વળી જે વિદ્યા દેખાડીને ખેંગાર રાજાને પગે પડાવું, તેજ યશભદ્રને મને સાચો શિષ્ય સમજશે.”, હારબાદ બલિભદ્ર મંત્રના બળે અગ્નિને એક કિલો બનાવ્યો અને હેની પાસે પાણીથી ભરેલી એક મોટી ખાઈ બનાવી, તે પછી મંત્રેલા અડદ અને કરેણની સોટી લઈને સંઘના માણસે સાથે બલિભદ્ર રાજમંદિરમાં ગયા. રાજાને આશિશ આપીને બેઠા, રાજાએ નમસ્કાર કર્યો. હાર પછી બલિભદ્રષિએ રાજાને કહ્યું કે- હે રાજન ! અમારા તીર્થને લઈ લેવું, એ રાજમાર્ગ નથી. રાજ્ય તે તેજ કે જે ન્યાયથી ચાલે. અન્યાય કરનાર રાજા નરકે જાય છે. અરે, જયડારે વાડજ ચીભડાં રે, તે પછી રખવાલ શું કરે ?' આ સાંભળીને રાજા કુપિત થયે. અને બેલવા લાગે કે“અરે મુંડ ! તું મને નથી ઓળખતો ! તું આ શું મ્હારી આગળ બેલે છે? જે હને તીર્થની ચાહના છે, તે બદ્ધમતિ થઈને શા માટે તીર્થને વાંદ નથી ? અરે દુષ્ટ ! હું હુને હારૂ પાપ પ્રત્યક્ષ દેખાડી આપું છું. દર દરમાં ઘો તે ઘણું જોઈ હશે, પરંતુ ફણીધર તે દઠે નહિં હોય.' રાણુનાં વચનો સાંભળતાં ત્રાષિજીએ ક્ષમા દર કરી. ક્રોધથી હેમનાં લોચન લાલ થઈ ગયાં. બલિભદ્ર અડદના દાણુ મંત્રીને રાજાની રાણી તરફ ફેંક્યા, અને કરેણાની સોટી જમીન ઉપર પછાડવા માંડી. આથી રાણીનું આખું અંગ તૂટવા લાગ્યું. પાણી વિના માછલું તડફડે, તેમ રાણી તડફડવા લાગી. અને તેનું શરીર પણ બળવા લાગ્યું. ઋષિ ત્યાંથી ઉઠી ચાલતા થયા. રાણીએ [ ૧૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy