SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આથી પણ હેણે મનમાં ખેદ ન કર્યો અને તે પિતાના કર્મનું જ ફળ ચિંતવવા લાગે. આ વખતે તે ધનવિનાના માણસોની શી સ્થિતિ થાય છે, તે વિચારવા લાગ્યો અને મનમાં અનેક પ્રકારના સંકલ્પવિકપ કરતા તે પોતાને ઘેર ગયે. ઘેર ગયા પછી પણ હેનું ચિત્ત સ્થિર થયું નહિં. હેનું હૃદય વૈરાવ્યથી કોમળ થયું. અને તેથી તે ઘેરથી નીકળી શ્રીયશોભદ્ર ગુરૂ પાસે આવ્યો. ગુરૂએ સરસ ઉપદેશ આપે. આ ઉપદેશના પ્રભાવથી તે જિનમતિ થઈ દીક્ષિત પણ થયે. રાસમાં લખ્યું છે કે – વાણી સુગુરૂ સુણુ જિનમતી થિયુ વઈરાગ ભયુ તવ યતી’૩૨ આથી માલૂમ પડે છે કે તે પહેલાં જૈન હતો. દીક્ષા લીધા પછી તે નિરતિચારપણે ચારિત્ર પાળવા લાગ્યું. ગુરૂની શિક્ષા હમેશા ધારણ કરવા લાગ્યો. દશવિધ યતિધર્મ પાળવા લાગ્યા. અને માસ છમાસ એમ હેટી હેટી તપસ્યાઓ પણ કરવા લાગે. એક વખત બેહાઋષિ, ઉલ્લાસપૂર્વક ગુરૂને વિનતિ કરવા લાગ્યા કે – “હે દેવ ! આપનું શરણું લઈને મહે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી છે. હવે આજ મ્હારા મનમાં એક એવો મને રથ ઉત્પન્ન થયો છે, કે-હું થોડા દિવસમાં મહારું કાર્ય સિદ્ધ થાય, તેમ કરૂં. અને તેમ કરવા માટે આપ કહે, તે સ્થાનમાં રહીને થતા ઉપસર્ગાદિ સહન કરું.” ગુરૂએ લાભ જેઈ, અવતી તરફ વિહાર કરવાની આજ્ઞા આપી. ત્યાર પછી તે સંઘની આશિષ લઈને ધામણુઉદ્ર ગામની નજીક એક સરોવરની પાળ પાસેના નિર્જન સ્થાનમાં આવીને રહ્યા. અહિં એક વખતે બ્રાહ્મણના ઘણા બાળકે ખેલવા માટે આવ્યા. તે બાળકે આ ઋષિજીને જોઈને કહેવા લાગ્યા કે – આ તે વળી શું ધૂબડધીંગ ઉભું છે?” એટલું જ નહિ પરંતુ યષ્ટિ-મુષ્ટિ આદિથી ષિને કષ્ટ દેવા પણ લાગ્યા છતાં ઋષિએ તે લગાર માત્ર પણ તેઓ ઉપર ક્રોધ કર્યો નહિ.” ઋષિને આવે ઉપસર્ગ થતો જોઈ, એક દેવે (તળાવના અધિષ્ઠાયકે) ક્રોધમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy