SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૨ ] જિનભક્તિ પશુઓ પયત સઘળાનાં ગુણ ગાવામાં શું કચાશ રાખે છે? વિચાર કરતાં આ જગતમાં સર્વત્ર પર સ્પરની પ્રશંસાનું સામ્રાજ્ય જામેલું છે. પોતાની પ્રશંસા કરનારની પ્રશંસા કરવી, એ વર્તમાનમાં શિષ્ટાચારનું એક મુખ્ય અંગ ગણાય છે. તથા પ્રશંસા કરનારની જે પ્રશંસા ન કરવામાં આવે તો તેમ કરનાર શિષ્ટાચારને ભંગ કરનાર છે, એમ જેરશોરથી પ્રતિપાદન કરવામાં આવે છે. એ જ રીતે જેની પ્રશંસા જનસમુદાયને બહાળે વગે કરતે હોય અથવા જે પિતાના પુણ્યબળ વડે બહાળા જનસમુદાય ઉપર સત્તાને ધારણ કરનાર હોય તેની પણ પ્રશંસા કરવી જોઈએ, એમ જગતે સ્વીકાર્યું છે, જો તેમ ન કરવામાં આવે તે તે લેકને યા સત્તાને ગુહેગાર ગણાય છે. આ રીતે ઇચ્છાએ કે અનિચ્છાએ જગતની અંદર ગુણવાનની કે ગુણશૂન્યની પ્રશંસા ચાલુ જ છે. એવી દશામાં જે લોકે શ્રી જિન ગુણ-સ્તવન પ્રત્યે પોતાની અરૂચિ અને અપ્રીતિ દર્શાવતા હોય તે તે લોકો લેકરવભાવથી પણ બીકુલ અજ્ઞાન છે, એમ કહ્યા સિવાય બીજો ઉપાય નથી. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તે સ્તુતિ કરવા યોગ્ય રતુત્ય ગણમાં શ્રી જિનેશ્વરને નંબર સૌથી પ્રથમ આવે Jain Education International 2500 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy